Tuesday, November 4, 2008

એશિયાટિક લાયન પ્રોટેકશન સોસાયટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો

Bhaskar News, Rajkot
Sunday, November 02, 2008 23:45 [IST]

સૌરાષ્ટ્રની શાન સમા એશિયાટિક સાવજોના રક્ષણ માટે કાર્યરત એવી રાજકોટની સંસ્થા એશિયાટિક લાયન પ્રોટેકશન સોસાયટી દ્વારા તાજેતરમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું.સાથે જ મૂકબધીર બાળકોને પ્રાકત્તિક વાતાવરણ વચ્ચે પયર્ટનની મોજ કરાવવામાં આવી હતી.

સમગ્ર એશિયામાં સાવજ એકમાત્ર ગીરના જંગલમાં છે. એક સમયે રાજા-મહારાજાઓના શિકારના શોખ તથા વન્ય જીવસૃષ્ટિ પ્રત્યે લોકોમાં જાગૃતિના અભાવને કારણે સાવજો લુપ્ત થયાની અણી ઉપર આવી ગયા હતા. સદ્ભાગ્યે આજે સાવજોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.

પરંતુ, લોકોમાં સાવજો પ્રત્યે જાગૃતિ આવે, પર્યાવરણના જતનની ઝંખના જાગે અને જંગલના રક્ષણ અને સંવર્ધન માટેનો અભિગમ આકાર પામે એ માટે જનજાગૃતિ આવશ્યક છે અને રાજકોટની એશિયાટીક લાયન પ્રોટેકશન સોસાયટીએ પાયાનું કામ કરી રહી છે. સંસ્થા દ્વારા ગીરના જંગલની જાણકારી આપવા માટે ગીરના પ્રવાસીઓને માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવે છે. તહેવારો દરમિયાન જંગલની અંદર અને નજીક આવેલા ધાર્મિક સ્થળો આસપાસ કેમ્પ કરીને માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા સ્થાનિક લોકોને સિંહની અગત્યતા સમજાવી. ‘સિંહ આપણી શાન છે અને આપણો મિત્ર છે’ એવી લાગણી ઊભી કરવાનો પ્રયત્ન થાય છે. સૌરાષ્ટ્રની શાળાના વિધાર્થીઓના કૂદરતના ખોળે નૈસિર્ગંક વાતાવરણમાં કેમ્પોનું આયોજન કરી, નવી પેઢીને વન્ય જીવસૃષ્ટિ વિશે તથા તેની ઉપયોગિતા વિશે જ્ઞાત કરવામાં આવે છે.

આ સંસ્થા સંપૂર્ણપણે સાવજોને સમર્પિત છે. ગીરના જંગલમાં થતા શિકાર કે શિકારીઓ વિશે માહિતી આપનારને રૂા.૨૫ હજારનું ઈનામ આપનાર આ પ્રથમ સંસ્થા હતી. ગીરના જંગલમાં આવેલા ખુલ્લા કૂવામાં ફરતી પાળી બનાવવાના કાર્યમાં પણ આ સંસ્થા પરોક્ષ રીતે મદદરૂપ થઈ છે.

સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓ ઉપરાંત રકતદાનની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલી રકતદાન શિબિરમાં અનેક રકતદાતાઓ ઉમટી પડયા હતા. સાથે જ મૂકબધીર બાળકોને આજી ડેમના પ્રાકત્તિક વાતાવરણમાં સહેલગાહ પણ કરાવવામાં આવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/02/0811022346_asiatic_lion.html

No comments: