Friday, November 7, 2008

રપ હજાર ભાવિકોએ ૩ દિવસ અગાઉ જ પરિક્રમા શરૃ કરી

જૂનાગઢ,તા.૬
ગરવા ગીરનારની પરિક્રમા વિધિવત રીતે શરૃ થવામાં હજી ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યાં જ ગીરદી અને ગંદકીથી બચવા માટે રપ હજાર જેટલા ઉતાવળીયા ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે. અનુભવી સુત્રોના જણાવ્યા અનુસાર ભવનાથ તળેટીમાં પણ એકાદ લાખની મેદની ઉમીટી પડી છે. પરિક્રમા માર્ગ પરના અન્નક્ષેત્રો પણ શરૃ થઈ ગયા છે. આગામી તા.૯ ને રવિવારે ગીરનારની પૌરાણીક પરંપરાગત પરિક્રમા શરૃ થાય તે પહેલા જ ઉતાવળીયા ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે. પરિક્રમામાં ઉમટી પડતા લાખ્ખો ભાવિકોની ગીરદીથી બચવા માટે અને ગંદકીથી રપ હજાર ભાવિકોએ ૩ દિવસ બચવા માટે આવી રીતે વહેલી પરિક્રમા શરૃ કરી દેતા હોવાનું યાત્રિકોએ જણાવ્યું છે. આજે રપ હજાર જેટલા ભાવિકો પરિક્રમાના અંતિમ ચરણ બોરદેવી વિસ્તારમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. અગાઉથી શરૃ થઈ ગયેલી પરિક્રમાના અનુસંધાને પરિક્રમા માર્ગ પરના અન્નક્ષેત્રો પણ આજથી ધમધમી ઉઠયા છે. અને યાત્રિકોને ભાવ પૂર્વક ભોજન કરાવી રહ્યા છે. પરિક્રમાના અનુસંધાને ભવનાથ તળેટીમાં પણ આશરે એકાદ લાખ ભાવિકો ઉમટી પડયા હોવાનું અનુભવી સુત્રોએ જણાવ્યુ છે. ઉમટી પડેલા ભાવિકોને લીધે ભવનાથ તળેટીમાં આવેલ વિવિધ જ્ઞાાતિ સમાજના ઉતારાઓ તથા વાડીઓ પણ ભરાઈ ગઈ છે. ગીરનાર પરિક્રમાના અનુસંધાને ડી.સી.એફ અમિત કુમારે જૂનાગઢનો ચાર્જ સંભાળ્યો છે અને એ.સી.એફ. પી.એસ. બાબરીયાને લાયઝન સોંપાયુ છે. બીજી તરફ ગીરનાર પરિક્રમાના અનુસંધાને રેલ્વે અને એસ.ટી. બસમાં પણ ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24898

No comments: