Friday, November 7, 2008

મફત ચા-પાણી, સરબત વિતરણની મંજૂરી ન અપાતા મશરૃ ઉ૫વાસ પર

જૂનાગઢ,તા.૬
ગીરનાર પરિક્રમા માર્ગ પર મફત ચા-પાણી, સરબતનું વિતરણ કરતી સંસ્થાઓને સેવાયજ્ઞા માટે પણ મંજુરી ન અપાતા પ્રસરી રહેલા રોષ વચ્ચે આગેવાનોએ દોડી જઈ વન વિભાગને ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ ૪૦૦ જેટલા નાના ફેરીયાઓ માટે પરિક્રમા વિવાદાસ્પદ ન બતે તે માટે વચ્ચેનો માર્ગ કાઢવાની માંગણી કરી હતી. આ મુદ્દે નાના ધંધાર્થીઓને મંજૂરી આપવાનાં માગણી સાથે ભાજપનાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ ઉપવાસ ઉપર બેસી ગયા છે. ભાજપનાં મહામંત્રી અમૃત દેસાઇ, ગિરનાર ધર્મસ્થાન અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ, સંતશ્રી ગણપતગીરી બાપુ, જૂનાગઢ મ્યુ.કોર્પોરેશનનાં ડે.મેયર કરમણ કટારા, સાધુ સંતો અને આગેવાનો ૫ણ મોટી સંખ્યામાં લીમડા ચોક ખાતે આવેલી વનખાતાની રેન્જ ઓફીસ સામે આગામી તા.૯ ના રોજ થી ગરવા ગીરનારની શરૃ થઈ રહેલી પરિક્રમા દરમ્યાન ભાવિકોને મફત મફત ચા-પાણી, સરબત વિતરણની ચા-પાણી, સરબતનું વિતરણ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ મંજુરી ન અપાતા રોષ પ્રસરી જવા પામ્યો છે. દર વર્ષે આવી સંસ્થાઓ લાખ્ખો ભાવિકોને મફત ચા, સરબતનું વિતરણ કરે છે. બીજી તરફ વ્યવસાયીક નાના ફેરીયાઓ પર પણ પ્રતિબંધ લાદી દેવાતા ૪૦૦ જેટલા ફેરીયાઓ આજે વન વિભાગની રેન્જ ઓફિસ ખાતે પરમીટ મેળવવા બેસી રહ્યા હતા.

આ બન્ને રજુઆતો માટે આજે સાધુ-સંતો તેમજ વિહિપ, ભાજપ, કોંગ્રેસ, સી.પી.એમ. ના આગેવાનો દોડી ગયા હતા. અંબાજી મહંત તનસુખગીરી બાપુ, મહંત અચ્યુતાનંદજી રજુઆતમાં જોડાયા હતા. વિહિપના સંયુક્ત પ્રદેશ મહામંત્રી લલીતભાઈ સુવાગીયાએ જણાવ્યુ છે કે, સંસ્થાઓ ચા-પાણીનું વિતરણ કરી પરિક્રમા વ્યવસ્થામાં મદદરૃપ બને છે. ધર્મ અને યાત્રિકો પર્યાય છે. ત્યારે કોઈને અડચણ રૃપ ન થાય તેવી શરતોએ કોઈ વચલો રસ્તો કાઢવો જોઈએ. વર્ષોથી યોજાતી ગીરનાર પરિક્રમા કોઈ વિવાદમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

દરમ્યાનમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃએ જણાવ્યુ છે કે, ભુતકાળમાં જૂનાગઢની પ્રજાએ ગીરનારને બચાવ્યો છે. જંગલ અને સિંહોના રક્ષણ માટે જૂનાગઢની પ્રજા હંમેશા ચિંતાતુર રહી છે. ત્યારે આવો અન્યાય વ્યાજબી નથી.

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે પણ ઉગ્ર રજુઆત કરી હતી. અને જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મસ્થળમાં ભાવિકોને હેરાન કરવા વ્યાજબી નથી. સી.પી.એમના બટુકભાઈ મકવાણાએ પણ ઉગ્ર રજુઆત કરી હતી. દરમ્યાનમાં ડી.સી.એફ. અમિતકુમારે જણાવ્યુ છે કે, જીવન જરૃરી ચીજવસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. તેમજ માઈક વગાડવા પર પણ સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અભયારણ્યના રક્ષણ માટે આ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

આજે જૂનાગઢ વન વિભાગની લીમડા ચોક સ્થિત રેન્જ ઓફીસ ખાતે ૪૦૦ જેટલા નાના ફેરીયાઓ અને વેપારીઓ પરમીટની આશાએ આખો દિવસ દરમ્યાન બેઠા રહ્યા હતા. અને ઉપરોકત આગેવાનો નાના ધંધાર્થીઓની તરફેણમાં ઉપવાસ પર બેસી ગયા હતાં.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24899

No comments: