Tuesday, November 4, 2008

જૂનાગઢમાં ગિરિવર ગિરનારની ગોદમાં પરિક્રમાનો માહોલ શરૂ

Bhaskar News, Junagadh
Tuesday, November 04, 2008 00:01 [IST]

હરસુખ માસ્તરની સ્મૃતિમાં મશરૂની આગેવાની હેઠળની પરિક્રમામાં ૮૦૦ યુવાનો જોડાયા

જૂનાગઢમાં દર વર્ષે દીવાળી બાદ કારતક મહિનામા યોજાતી ગીરનારની પરિક્રમા શરૂ થવા આડે હજુ એક સપ્તાહ બાકી છે ત્યારે વર્ષોથી સ્વ. હરસુખ માસ્તરની સ્મૃતિમાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની આગેવાનીમાં યોજાતી ખાસ યુવાનો માટેની સાહસકિ પરિક્રમા સાથે જ શહેરમાં પરિક્રમાનો માહોલ ઉભો થવા લાગ્યો છે. ગઈકાલે યોજાયેલી પરિક્રમામાં આશરે ૮૦૦ જેટલા યુવાનો જોડાયા હતા.

જૂનાગઢમાં જૂની પેઢીના સ્વ. હરસુખ માસ્તરની સ્મૃતિમાં છેલ્લા ઘણા વર્ષોથી દીવાળી પછીના રવીવારે ગીરનારની પરિક્રમા યોજાય છે. ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ દર વર્ષે તેની આગેવાની લે છે અને ખાસ યુવાનોની સાહસકિતા વધે તે હેતુથી ૪૨ કિમીનું અંતર ૭ કલાકમાં પૂરૂ કરવાનો લક્ષ્યાંક તેમાં રખાય છે.

સવારનાં પ્હોરમાં શરૂ થતી આ પરિક્રમામાં યુવાનો રસ્તામાં પાંચેક કલાકનો સમય પ્રકતિ વિશેનું જ્ઞાન મેળવવામાં ચા-નાસ્તા અને જમવામાં વિતાવે છે. એ જ દિવસે સાંજે આ પરિક્રમા પૂરી થઈ જાય છે. ગઈકાલે તેમાં ૮૦૦ જેટલા યુવાનો જોડાયા હોવાનું સર્વોદય બ્લડ બેંસનાં અનિલ વ્યાસે જણાવ્યું હતું.

આ પરિક્રમાની સાથે જ શહેરમાં પરિક્રમાનો માહોલ શરૂ થઈ ગયો છે. જો કે, સત્તાવાર રીતે કારતક સુદ નોમથી પૂનમ સુધી યોજાતી ગીરનારની પરિક્રમામાં દેશભરના લાખ્ખો ભાવિકો ઉમટી પડે છે. આથી જૂનાગઢ વાસીઓ ઘણું ખરૂં નિયત દિવસો અગાઉ પોતે પોતાના મિત્રો કે, જૂથોમાં પરિક્રમા શરૂ કરી દે છે.

પ્રકતિ પ્રેમીઓતો લાખ્ખો ભાવિકો થકી થયેલી ગંદકીથીબચવા અગાઉના દિવસોમાં જ પરિક્રમા પૂર્ણ કરે છે. આ સવિાય પરિક્રમામાં ચાલતા અન્નાક્ષેત્રોમાં સેવા આપતા લોકો પણ પોતપોતાનાં આયોજનોની તૈયારીમાં લાગી ગયા છે. ટૂંકમાં, જૂનાગઢ ધીમેધીમે પરિક્રમામય બની રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/04/0811040002_prikramma_preparation.html

No comments: