Sunday, November 16, 2008

આજે ગીરનારની સફાઈ પરિક્રમા યોજાશેઃ વિવિધ સંસ્થાઓ જોડાશે

જૂનાગઢ,તા.૧૫
તાજેતરમાં ગીરનારની યોજાયેલી પરિક્રમામાં ઉમટી પડેલા ૧૦ લાખ જેટલા ભાવિકોને લીધે જંગલમાં પ્રસરેલા કચરાને સાફ કરવા માટે આવતીકાલ તા.૧૭ ના રોજથી ગીરનારની સફાઈ પરિક્રમા યોજાશે. તબ્બકાવાર યોજાનારા આ શ્રમયજ્ઞામાં જૂનાગઢ શહેરની વિવિધ સંસ્થાઓ ભાગ લેશે. પાંચ દિવસ આગોતરા અને પાંચ દિવસ વિધિવત મળી કુલ દશેક દિવસ સુધી ગીરનાર જંગલમાં યોજાયેલી પરિક્રમામાં ૧૦ લાખ જેટલા ભાવિકો ઉમટી પડયા હતા. જેને લીધે જંગલમાં વ્યાપક પ્રમાણમાં કચરો ફેલાયો હોય આવતી કાલ તા.૧૭ ને રવિવારના રોજ સફાઈ પરિક્રમા યોજાશે. સવારે ૮ વાગ્યે શરૃ થનારા આ શ્રમયજ્ઞાની આગેવાની ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ લેશે. આ શ્રમયજ્ઞામાં સર્વોદય બ્લડ બેન્ક, નવ રચિત આદર્શ રઘુવંશી યુવક મંડળ વગેરે સંસ્થાઓ ભાગ લેશે. તેમજ સતત ચાલનારા આ શ્રમયજ્ઞામાં તબ્બકાવાર સફાઈ કરવામાં આવશે. આ સફાઈ પરિક્રમામાં શહેરના યુવાનો, સેવાભાવી સંસ્થાઓને જોડાવા અનુરધો કરાયો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=27138

No comments: