Saturday, November 8, 2008

બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરેલ

જૂનાગઢ,તા.૭
ગીરનારની પરિક્રમા શરૃ થવામાં કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે પુરાણોમાં થયેલા ઉલ્લેખ અને ર્ધાિમક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને આર્જૂન સાથે પરણાવવા માટે બહાનુ કરી પરિક્રમા કરી હતી. અને સતત પાંચ દિવસ સુધી ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. જે દરમ્યાન યાદવો પણ તેઓની સાથે રહ્યા હતા. સ્કંધ પુરાણના ઉલ્લેખ અને ર્ધાિમક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૃક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જૂન તથા યાદવોએ ગીરનારની પરિક્રમા કરી હતી. તેમજ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જૂનના લગ્ન કરાવ્યા હતા. સતત અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણએ ગીરનારના જંગલમાં વાસ કરી પરિક્રમા કરેલ. ભગવાન શ્રીકૃષ્ણ અહિ બિરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર ૩૩ કરોડ દેવતાઓએ ભગવાનના સાનિધ્ય માટે અહિ વસવાટ કર્યો હતો. અને ત્યારથી ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ થતા અનેરૃ મહત્વ રહ્યું છે. એક માન્યતા અનુસાર પાંચ પાંડવો પણ ગીરનારના જંગલમાં વાસ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણએ કરેલી પરિક્રમા બાદ આ પરિક્રમાનો સીલસીલો શરૃ થયો હોવાનું કહેવાય છે. જો કે વચ્ચે ઘણા વર્ષો સુધી પરિક્રમા બંધ થઈ ગઈ હતી. અને તે વિશે ક્યાંય કોઈ જ સ્થળે ઉલ્લેખ જોવા મળતો નથી. ભગવાન કૃષ્ણએ રૃક્ષ્મણી, સુભદ્રા, અર્જૂન અને યાદવો સાથે પાંચ દિવસ ગિરનારમાં વિતાવ્યા હતા

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25170

No comments: