Monday, November 10, 2008

ગિરનાર પરિક્રમામાં હૈયુ હૈયુ દળાયું : ૧૦ લાખથી વધુની વિશાળ માનવ મેદની

જૂનાગઢ,તા.૯
જૂનાગઢના ગરવા ગીરનારની ર્ધાિમક મહતા ધરાવતી પૌરાણિક પરિક્રમાનો આજે મધરાત્રે બંદુકના ભડાકે વિધિવત પ્રારંભ થયો છે. જો કે તે પહેલા જ ૪.પ૦ લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોવાનું સતાવાર રીતે જણાવાયું છે તો પરિક્રમા માર્ગ અને ભવનાથ તળટીમાં હજી પ.પ૦ લાખની મેદની મળી આ વર્ષે પરિક્રમામાં રેકર્ડ બ્રેક ૧૦ લાખથી વધુની મેદની ઉમટી પડી છે. જટાધારી જોગી સમાન જૂનાગઢ શહેરની ભાગોળે ઉભેલા ગિરિવર ગિરનારની દર વર્ષે યોજાતી પૌરાણિક પરિક્રમાનો આજે રૃપાયતન પાસેથી મધરાત્રે સાધુ-સંતો, આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે બંદુકના ભડાકે પ્રારંભ થયો ત્યારે એકી સાથે હજ્જારો યાત્રિકોએ પરિક્રમા શરૃ કરી હતી. યાત્રિકોનો એકધારો વિશાળ પ્રવાહ જીણાબાવાની મઢી એટલે કે પરિક્રમાના પ્રથમ પડાવ તરફ વહી રહ્યો છે.

બીજી તરફ પરિક્રમા શરૃ થાય તે પહેલા જ આજે મધરાત્રી સુધીમાં ૪.પ૦ લાખ ભાવિકોએ ગીરનારની આગોતરી પરિક્રમા સતાવાર રીતે પૂર્ણ કરી લીધાનું નોંધાયુ છે. પરિક્રમામાં જઈ રહેલા યાત્રિકોના વિશાળ પ્રવાહ સામે બોરદેવી તરફથી એટલી જ સંખ્યામાં યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી પરત આવી રહ્યા છે. અને પરત જઈ રહ્યા છે.

જો કે આટલી વિશાળ સંખ્યામાં યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોવા છતા હજી પરિક્રમા માર્ગ પર યાત્રિકોની ભારે ગીર્દી જોવા મળી રહી છે. જેના પરથી પ.પ૦ લાખ જેટલા ભાવિકો હજી જંગલમાં હોવાનું દ્રઢ અનુમાન લગાવાઈ રહ્યું છે. જૂનાગઢના ગીરનાર દરવાજાથી માંડી તળેટી સુધીના રસ્તા પર પગ મુકવાની જગ્યા નથી. એક તરફ જેટલા ભાવિકો આવી રહ્યા છે. એટલી જ સંખ્યામાં યાત્રિકો પરત જઈ રહ્યા છે.

પરિક્રમા માર્ગ પરના ૭૦ જેટલા અન્નક્ષેત્રો પૂર્ણ રીતે ધમધમી ઉઠયા છે. ઠેર ઠેર હૈયુ હૈયુ દળાય એટલી મેદની નજરે પડી રહી છે. પરિક્રમા માર્ગ પર પણ લાઈનમાં ચાલવું પડે તેવી સ્થિતી છે. જૂનાગઢ

શહેરમાં પણ યાત્રિકોની ભીડ દેખાઈ રહી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25639

No comments: