Monday, November 10, 2008

ભવનાથમાં પરિક્રમાર્થીઓ પર એસ.ટી. બસ ફરી વળી ; ૧ નું મૃત્યુ, ૭ ને ઈજા

જૂનાગઢ,તા.૯
જૂનાગઢના ગીરનારની ગોદમાં પરિક્રમા માટે હજ્જારો ભાવિકોનો પ્રવાહ આવી રહ્યો છે તેવી સ્થિતી વચ્ચે ગઈ રાત્રે ભવનાથમાં બનાવાયેલ એસ.ટી. બસ સ્ટેન્ડમાં ઢાળ પર ઉભેલી બસ અચાનક જ દોડવા લાગતા પાસેથી બસમાંથી ઉતરી રહેલા પરિક્રમાર્થીઓ પર આ બસ ફરી વળતા ૧ મહિલા પરિક્રમાર્થીનું ચગદાઈ જવાથી મૃત્યુ થવા પામ્યુ છે. જ્યારે ૭ ને ઈજાઓ થવા પામી છે. આ વિશેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે ગીરનાર પરિક્રમામાં અનુસંધાને બનાવાયેલ એસ.ટી. બસ સ્ટેન્ડમાં ગઈ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ઢાળ પર પાર્ક થયેલી જી.જે.૧૮ વી ૭૦૦૦ નંબરની બસ ટેકનીકલ ખામીને લીધે અચાનક જ દોડવા લાગતા પાસે ઉભેલી એસ.ટી. બસ જી.જે.૧૮ વી ૪૭૪૦ માંથી નીચે ઉતરી રહેલા મુસાફરો પર એ બસ ફરી વળી હતી.

પરીક્રમાર્થીઓની ભારે ગીર્દી વચ્ચે બનેલા આ બનાવમાં કોડીનાર તાલુકાના હરમડીયા ગામ ખાતેથી સંઘ સાથે પરિક્રમામાં આવેલા બાજુબેન સામતભાઈ કોળી નામના પ૦ ર્વિષય મહિલા પરિક્રમાર્થીનું ગંભીર ઈજાઓ થવાને લીધે કરૃણ મૃત્યું થવા પામ્યું છે. જ્યારે આશાબેન રમેશ (રે.રાજકોટ), દિવીબેન ભાણાભાઈ (ઉ.વ.૩૪, રે.ઉના), ભૂમિકા મોહનભાઈ (ઉ.વ.૧૦, રે.ઉના), રૈયાભાઈ પીઠાભાઈ (ઉ.વ.પ૦, રે.ઉના), જીવીબેન ભાણાભાઈ (ઉ.વ.૪૦, રે.ઉના), જાનીબેન લખમણભાઈ (ઉ.વ.૩૦, રે.ઉના) અને થોભણભાઈ દેવાભાઈ (ઉ.વ.પપ, રે.સેમરાળા) ને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે પાટણના વિક્રમજી જુઠાજી ઠાકોરે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25644

No comments: