Monday, November 10, 2008

ચારેય દિશામાંથી જૂનાગઢ તરફ પરિક્રમાર્થીઓનો પ્રવાહ

જૂનાગઢ,તા.૮
અનેરૃ ર્ધાિમક મહાત્મ્ય ધરાવતી ગીરનાર પરિક્રમા માટે આવેલા પરિક્રમાર્થીઓથી જૂનાગઢ શહેર ભરચ્ચક થઈ રહ્યુ છે. ઠેર ઠેર લાંબી કતારો જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે યાત્રિકોના વિશાળ પ્રવાહની આવક શરૃ થઈ ગઈ છે. જૂનાગઢ શહેરના માર્ગો પર ભીડની અસર વર્તાઈ રહી છે. હોટલો, ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ હાઉસ ફુલ જેવા થઈ ગયા છે. શહેરની બજારોમાં ખરીદી માટે ગીર્દી જામી રહી છે. અને એકંદરે સમગ્ર પ્રવાહ અવિરત ગિરિતળેટી તરફ જઈ રહ્યો છે. ગીરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ લાખ્ખો ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે ત્યારે જૂનાગઢ શહેર પરિક્રમાર્થીઓથી ભરચ્ચક થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર યાત્રિકોની વિશાળ કતારો સવાર-સાંજ જોવા મળી રહી છે. શહેરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો મોટા મોટા થેલાઓ ઉપાડી ભવનાથ તરફ જઈ રહ્યા છે. ચારે તરફથી આવતા રસ્તાઓ જાણે કે જૂનાગઢ શહેર ખાતે આવી પૂર્ણ થતા હોય તેમ શહેરમાં આવનાર દરેક વાહનો ભરચ્ચક જોવા મળી રહ્યા છે.

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડનું મેદાન મીની મેળાના સ્વરૃપમાં આવી ગયું છે. યાત્રિકો વિશાળ સંખ્યામાં બસ સ્ટેન્ડ ખાતે ઠલવાઈ રહ્યા છે. અને અહીથી જ ભવનાથ તરફ જતી બસોમાં બેસવા માટે લાઈનો લાગી છે. રેલ્વે સ્ટેશન ખાતે પણ કંઈક આવો જ માહૌલ સર્જાયો છ. કોઈ પણ સ્ટેશનેથી આવતી ટ્રેનમાં રહેલી ગીર્દી જૂનાગઢ આવી ખાલી થઈ રહી છે. યાત્રિકો ટ્રેનમાં ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન આવે ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. જૂનાગઢમાં આવી રહેલા યાત્રિકોને લીધે શહેરની લગભગ તમામ હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસો ભરાઈ ગયા છે. યાત્રિકોને મહામુશ્કેલીએ રાત્રી રોકાણ માટે રૃમ મળે તેવી સ્થિતી આકાર લઈ રહી છે. રેસ્ટોરન્ટ અને લોજમાં પણ લાંબા સયમ પછી જમવાનો વારો આવે એટલી કતારો બપોરે અને સાંજના સમયે હોય છે. બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન નજીકની લોજ - રેસ્ટોરન્ટો તો વહેલી સવારથી મોડી રાત સુધી અવિરત ચાલુ જ રહે છે. શહેરની બજારોમાં પણ એક પ્રકારની રોનક પ્રસરી જવા પામી છે. પરિક્રમામાં જતા પહેલા પરચુરણ ચીજ વસ્તુઓની ખરીદી કરવા જતા યાત્રિકોથી શહેરની બજારો ઉભરાઈ રહી છે. ગિરિ તળેટી તરફ જતા જતા નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદી યાત્રિકો કરી રહ્યા છે. યાત્રિકોની વિશાળ સંખ્યાને જોતા વેપારી વર્ગના ચહેરા પર પણ સંતોષની લાગણી છે.

જૂનાગઢ શહેરમાં આવેલા યાત્રિકો થોડો આરામ કરી ભવનાથ તળેટી તરફ જઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જતા ત્રણ રસ્તાઓ મજેવડી દરવાજાનો રસ્તો, ગીરનાર દરવાજા રસ્તો અને દાતાર રોડની બન્ને તરફ મોટી સંખ્યામાં યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ગીરનાર પરિક્રમામાં આવી રહ્યા છે. એકંદરે સમગ્ર જૂનાગઢ શહેરમાં પરિક્રમાની સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે.

* બસ સ્ટેન્ડ - રેલવે સ્ટેશન ખાતે યાત્રિકોના વિશાળ પ્રવાહની આવક ; જૂનાગઢ શહેરના માર્ગો પર કતારો ; હોટલો, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ હાઉસ ફુલ ; બજારોમાં ભારે ભીડ ; ગિરિ તળેટી તરફ અવિરત જઈ રહેલી મેદની

ગીરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ લાખ્ખો ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે ત્યારે જૂનાગઢ શહેર પરિક્રમાર્થીઓથી ભરચ્ચક થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર યાત્રિકોની વિશાળ કતારો સવાર-સાંજ જોવા મળી રહી છે. શહેરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો મોટા મોટા થેલાઓ ઉપાડી ભવનાથ તરફ જઈ રહ્યા છે. ચારે તરફથી આવતા રસ્તાઓ જાણે કે જૂનાગઢ શહેર ખાતે આવી પૂર્ણ થતા હોય તેમ શહેરમાં આવનાર દરેક વાહનો ભરચ્ચક જોવા મળી રહ્યા છે.

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડનું મેદાન મીની મેળાના સ્વરૃપમાં આવી ગયું છે. યાત્રિકો વિશાળ સંખ્યામાં બસ સ્ટેન્ડ ખાતે ઠલવાઈ રહ્યા છે. અને અહીથી જ ભવનાથ તરફ જતી બસોમાં બેસવા માટે લાઈનો લાગી છે. રેલ્વે સ્ટેશન ખાતે પણ કંઈક આવો જ માહૌલ સર્જાયો છ. કોઈ પણ સ્ટેશનેથી આવતી ટ્રેનમાં રહેલી ગીર્દી જૂનાગઢ આવી ખાલી થઈ રહી છે. યાત્રિકો ટ્રેનમાં ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન આવે ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. જૂનાગઢમાં આવી રહેલા યાત્રિકોને લીધે શહેરની લગભગ તમામ હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસો ભરાઈ ગયા છે. યાત્રિકોને મહામુશ્કેલીએ રાત્રી રોકાણ માટે રૃમ મળે તેવી સ્થિતી આકાર લઈ રહી છે. રેસ્ટોરન્ટ અને લોજમાં પણ લાંબા સયમ પછી જમવાનો વારો આવે એટલી કતારો બપોરે અને સાંજના સમયે હોય છે. બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન નજીકની લોજ - રેસ્ટોરન્ટો તો વહેલી સવારથી મોડી રાત સુધી અવિરત ચાલુ જ રહે છે. શહેરની બજારોમાં પણ એક પ્રકારની રોનક પ્રસરી જવા પામી છે. પરિક્રમામાં જતા પહેલા પરચુરણ ચીજ વસ્તુઓની ખરીદી કરવા જતા યાત્રિકોથી શહેરની બજારો ઉભરાઈ રહી છે. ગિરિ તળેટી તરફ જતા જતા નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદી યાત્રિકો કરી રહ્યા છે. યાત્રિકોની વિશાળ સંખ્યાને જોતા વેપારી વર્ગના ચહેરા પર પણ સંતોષની લાગણી છે. જૂનાગઢ શહેરમાં આવેલા યાત્રિકો થોડો આરામ કરી ભવનાથ તળેટી તરફ જઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જતા ત્રણ રસ્તાઓ મજેવડી દરવાજાનો રસ્તો, ગીરનાર દરવાજા રસ્તો અને દાતાર રોડની બન્ને તરફ મોટી સંખ્યામાં યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ગીરનાર પરિક્રમામાં આવી રહ્યા છે. એકંદરે સમગ્ર જૂનાગઢ શહેરમાં પરિક્રમાની સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે.

* જૂનાગઢની હોટલો - ગેસ્ટ હાઉસોના ભાડા પ૦ થી ર૦૦ ટકા સુધી વધી ગયા!!

ગીરનાર પરિક્રમાની સીધી અસર જૂનાગઢ શહેરની હોટલો અને ગેસ્ટ હાઉસો પર પડી છે. યાત્રિકોનો પ્રવાહ શરૃ થતા જ ભાડામાં રાતોરાત પ૦ થી ર૦૦ ટકા સુધીનો વધારો થઈ ગયો છે. જ્યારે ખાનગી વાહનોના ભાડા પણ બમણા સુધી પહોંચી ગયા છે. પરિક્રમાના દિવસો દરમ્યાન વર્ષોથી રાબેતા મુજબ આ પ્રમાણે સ્થિતી સર્જાય છે.

જૂનાગઢ જેવો પરિક્રમાર્થીઓનો પ્રવાહ દેખાયો કે તરત જ ભાડાઓ વધી જાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જતા હોટલો, ગેસ્ટ હાઉસોમાં ભાડાનો પ૦ થી ર૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. કેટલીક ધર્મશાળાઓમાં પણ આવી જ અસર થઈ છે. એક રૃમના ર૪ કલાકનું રૃ.૪૦ ભાડુ હોય તેની જગ્યાએ હાલમાં રૃ.૧૦૦ સુધીનું ભાડુ કરી દેવામાં આવ્યું છે તો થોડુ ઉંચામાં રૃ.ર૦૦ ના ભાડાના રૃમના રૃ.૩૦૦ કે રૃ.૩પ૦ સુધી કરી દેવામાં આવ્યા છે.

આટલુ ભાડુ વધ્યું હોવા છતા યાત્રિકોથી ગેસ્ટહાઉસ - હોટલો ભરાઈ રહ્યા છે. સંચાલકોના જણાવ્યા અનુસાર તેઓ માટે કમાણીના માત્ર બે જ મોટા તહેવારો પરિક્રમા અને શિવરાત્રીનો મેળો હોય છે. એટલે આ સમયગાળા દરમ્યાન ભાડુ થોડુ વધારી દેવામાં આવે છે. બીજી તરફ ખાનગી વાહનોમાં મુસાફરી ભાડુ પણ બમણા સુધી પહોંચી રહ્યું છે. જૂનાગઢ આસપાસથી આવતા ખાનગી વાહનોમાં હજી એટલુ ભાડુ વધ્યુ નથી. પણ શહેરમાં દોડતી રીક્ષાઓના ભાડા સારો એવો વધારો થયો છે. જો કે આમ છતા ભવનાથ તળેટી તરફ જતી તમામ રીક્ષાઓ ભરચ્ચક રહે છે.

* પરિક્રમા દરમિયાન યાત્રિકોએ આટલી તકેદારી રાખવી...

ગીરનાર પરિક્રમા દરમ્યાન યાત્રિકોએ રાખવાની તકેદારી બાબતે જૂનાગઢ પોલીસ વિભાગે ખાસ જારી કરેલી સુચનાઓ અનુસાર યાત્રિકોએ નીચેની બાબતે ખાસ કાળજી રાખવી.

- કિંમતી આભુષણો, ઘરેણા કે જરૃર વગરની વધારે રોકડ રકમ સાથે રાખવી નહિ.

- દરેક યાત્રિકે ઓળખકાર્ડ શક્ય હોય તો આધારભુત ઓળખપત્ર સાથે રાખવા.

- નાના બાળકોના ખીસ્સમાં નામ, સરનામા અને ફોન નંબરોની ચીઠ્ઠી અચુક રખાવી દેવી.

- સેવાભાવિ સંસ્થાના કાર્યકરોએ સંસ્થાના ઓળખપત્રો સાથે રાખવા.

- પરિક્રમા દરમ્યાન વન વિભાગની તમામ સુચનાઓનું શબ્દશઃ પાલન કરવું.

- શંકાસ્પદ હિલચાલ કે વસ્તુઓ બાબતે નજીકની પોલીસ રાવટીમાં જાણ કરવી.

- અજાણ્યા ઢોંગીઓ પાસેથી કોઈ પણ વસ્તુ કે ખાદ્ય પદાર્થ લેવો નહિ.

પરિક્રમામાં વિખૂટા પડેલાઓનું મિલન કરાવતું માહિતી કેન્દ્ર શરૃ કરાયું

ગીરનાર પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમ્યાન વિખુટા પડેલા યાત્રિકોના મિલન માટે જાણીતા બનેલા જૂનાગઢ મહાનગરપાલિકાના યાત્રિક માહિતી કેન્દ્રનો ભવનાથના દત ચોક ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

મનપાની પી.આર.ઓ. શાખા સંચાલીત આ માહિતી કેન્દ્ર ખાતે દર વર્ષે સંખ્યાબંધ લોકોનો તેના પરિવાર સાથે મેળાપ કરાવવાની સાથે યાત્રિકોને જરૃરી માહિતી પુરી પાડવામાં આવી છે. તેમજ વ્યવસ્થા માટે જરૃરી સુચનાઓ પણ આપવામાં આવે છે. આ કેન્દ્રને ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ, મેયર જ્યોતિબેન વાછાણી, ડે.મેયર કરમણભાઈ કાટારા, સ્ટે.ચેરમેન ભરતભાઈ કારેણા, યાત્રાળુ સમિતીના ચેરમેન નિર્ભયભાઈ પુરોહિત વગેરેના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હોવાનું માહિતી કેન્દ્રના ઈન્ચાર્જ દિનેશભાઈ પુરોહિતે જણાવ્યું છે

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25426

No comments: