Sunday, June 1, 2014

વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા.

Bhaskar News, Visavadar | May 26, 2014, 14:12PM IST
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
- વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું : શિકારની આશંકા
- તપાસનો ધમધમાટ : મંડોરીયા વિસ્તારનાં આંબાના બગીચાની ઘટના
- વન વિભાગે અવશેષોને પરિક્ષણ માટે સાસણ મોકલ્યા : દોડધામ

વિસાવદરનાં મંડોરીયા વિસ્તારનાં આંબાનાં બગીચામાંથી સિંહનું ચામડું મળી આવતાં વનતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સિંહનાં અવશેષોને પરિક્ષણ માટે સાસણ મોકલી વનતંત્રે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં શિકારની પણ આશંકા સેવાઇ રહી છે. વિસાવદરનાં મુનિ આશ્રમ રોડ પર ૩ કી.મી. અંતરે મંડોળીયા વિસ્તારમાં હાલ સુરત ખાતે રહેતાં મનસુખભાઇ તારપરાનું ખેતર આવેલું હોય અને આંબાનો બગીચો પણ હોય તે વિસાવદરનાં જીવાપરામાં રહેતાં અરવીંદભાઇ ગોંડલીયાએ ભાગીયા તરીકે રાખેલ છે.

આજે બપોરનાં અરસામાં અરવીંદભાઇ બગીચામાં આંટાફેરા કરી રહયાં હતાં ત્યારે આંબાનાં એક ઝાડ નીચેથી ચામડું જોવા મળતાં તે સિંહનું હોવાનું માલુમ પડતાં વન વિભાગનાં એસીએફને ટેલિફોનીક જાણ કરતાં અમો હાલ તાલાલા વન વિભાગની જમીનની પેશકદમી દુર કરવાની કામગીરીમાં હોવાથી સ્ટાફને મોકલી આપું છું અને ઉપલા અધિકારીને જાણ કરી અમો પણ પહોંચીએ છે એવો પ્રત્યુત્તર આપ્યો હતો.

બાદમાં વન વિભાગનાં કર્મચારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં સિંહનું ચામડું હોવાની શંકા વ્યકત કરી હતી. આ ચામડું બે ફૂટ જેટલી પહોળાઇનું અને તેમાં એક નાનુ હાડકુ અને રૂવાટી હતી. આ ઉપરાંત ખેતરમાંથી થોડા અંતરે તપાસમાં વધુ બે હાડકા મળી આવેલ જે સિંહનાં પગ હોવાનું અનુમાન કરાઇ રહયું છે. આ સિંહનાં અવશેષોને સાસણ ખાતે પરિક્ષણ માટે મોકલી વન વિભાગે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં શિકારની પણ આશંકા સેવાઇ રહી છે.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
આ ઘટનાની તટસ્થ તપાસ કરો : ધારાસભ્ય રીબડીયા

આ ઘટનાની જાણ થતાં વન વિભાગ સ્થળ પર પહોંચે એ પૂર્વેજ કોંગી ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા ત્યાં પહોચી ગયેલ અને અગાઉ લાલપુરમાં સિંહનાં બચ્ચા બીલાડીનાં થઇ ગયેલ એમ આ ઘટનામાં સિંહનાં મોતની તટસ્થ તપાસ થાય એવી માંગણી કરી છે.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
હાડપીંજર, નખ કઇ જગ્યાએ ? તપાસનો વિષય

સિંહનું ચામડું મળી આવ્યું પરંતુ તેના નખ અને હાડપીંજર મળવા પામ્યા નથી તો તે કઇ જગ્યાએ ? એ તપાસનો વિષય છે.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
આ ઘાયલ સિંહનું ચામડું હોઇ શકે : આરએફઓ

આ વિસ્તારમાં વયોવૃધ્ધ ઘાયલ સિંહ હોવાની વાતને આરએફઓ ગોઢાણીયાએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, મારી અગાઉનાં આરએફઓએ તેની સારવાર કરાવી હતી કદાચ ફરી તે ઘાયલ થયો હોય એમ માની શકાય.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
વન તંત્રની બેદરકારી સામે આવી

આ બનાવમાં વનતંત્રની સદંતર બેદરકારી સામે આવી છે. કર્મચારીઓ યોગ્ય રીતે પેટ્રોલીંગ કરતા નથી એવું સાબીત થાય છે. બીમાર સિંહ હોય તો તેને પકડી સાસણ સારવારમાં મોકલી આપવો જોઇએ એવું લોકો કહી રહયાં છે.

No comments: