Tuesday, June 17, 2014

કેસર સહિત ૪૫ જેટલી કેરીની જાતોનું પ્રદર્શન નિહાળતા પ્રવાસીઓ.

Sarman Ram, Junagadh | Jun 08, 2014, 17:57PM IST
જુનાગઢ જિલ્લો વિવિધતામાં અનેકતાની અનેરી ભાત પાડે છે, પૈારણિક સ્થાપત્યો, ઐતિહાસીક ઈમારતો, પુરાત્તત્વીય મોન્યુમેન્ટ, અને વિશાળ અરબ સાગરનો તટ સાથે પ્રસિધ્ધ ગીર-ગીરનારનું વન સામ્રાજ્ય, તેમાં એશિયેટીક લાયન(વન કેસરી) અને તેનાં સંગાથે પાંગરેલી કેસર કેરીની સોડમ દેશ દુનિયાનાં પ્રવાસન પ્રેમીને આગવી ઓળખ સાથે આકર્ષિત કરી રહી છે. જુનાગઢ જિલ્લાનાં માંગરોળનાં શારદાગ્રામ ખાતેથી વિસ્તયરેલી કેસર  કેરીની સુમધુરતા અને સોડમ  સાસણનાં વનપ્રદેશે પાંગરીને ગુજરાતની શાન બની રહી છે. કેસરી સિંહનાં ગઢ એવા સાસણ ગીરમાં આજે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ત્રીજા મેંગો ફેસ્ટીશવલને ખુલ્લો મુકી સિંહ સદન-સાસણનાં ઉદઘાટન સમારોહમાં જણાવ્યુંમ હતુ કે રાજ્યમાં પ્રવાસનને ઉત્તેજન આપવાની નીતિ અને સ્થા નીક લોકોનાં સહકારને લીધે પ્રવાસન ક્ષેત્રે ૧૩ ટકાનો વિકાસ થયો છે. 
 
મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ વધુમાં જણાવ્યુવ હતુ કે પ્રવાસન નિગમનાં મેંગો ફેસ્ટીીવલને લીધે ગીરની કેસર કેરીને વિશેષ ઉત્તેજન મળશે. ત્રણ દિવસ દરમ્યાયન સાસણમાં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ ગીરની ૪પ પ્રકારની કેરીઓનું પ્રદર્શન નિહાળશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસની કટીબધ્ધતા વ્યંક્ત કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું  હતુ કે સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અગાઉ વર્ષે એક લાખ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શનાર્થે આવતા હતા. આજે વર્ષે પાંચ લાખ ઉપરાંત પ્રવાસીઓ સાસણ ખાતે આવે છે. મંત્રીશ્રીએ મુખ્યામંત્રીશ્રી આનંદીબેન પટેલનાં દિર્ઘદ્રષ્ટિં હેઠળ હજુ વધુ પ્રવાસન વિકાસની ઉપલબ્ધ થનારી રૂપરેખા પણ રજુ કરી હતી. સાસણ વિસ્તાતરનાં લોકોનો પ્રવાસીઓ પ્રત્યેનાં સહકારથી પણ સરાહનાં કરી હતી.મંત્રીશ્રીએ ઉદઘાટ્ન સમારોહ પુર્વે સિંહ સદનમાં ગીરની કેસર કેરીઓની ૪પ થી વધુ જાતોનાં પ્રદર્શન સ્ટોકલની મુલાકાત લીધી હતી. 
 
મેંગો ફેસ્ટી૪વલનાં ઉદધાટન સમારોહનાં પ્રારંભે ગુજરાત પ્રવાસન નિગમનાં જનરલ મેનેજરશ્રી શશીકુમારે મહાનુભાવો, વિવિધ પ્રાંતથી પધારેલ પ્રવાસીઓને આવકારતા જણાવ્યુંર હતુ કે પ્રવાસન વિભાગ જૂનાગઢ જીલ્લાનાં પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ માટે અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહેલ છે. જગમશહુર વનરાજ કેસરી અને ગીરની કેસર કેરીની ખ્યાનતી દેશ-પરદેશમાં ખુબ જ પ્રસરી છે. આથી જ અનેક સહેલાણીઓ સાસણનાં મહેમાન બને છે. રાજયનાં પ્રવાસન નિગમ દ્વારા ગીરનાં પ્રવાસન વિકાસમાં હજુ માળખાગત સુવિધાઓ ઉભી કરવા કટીબધ્ધ છે.
 
ગીરનાં મુખ્ય  વનસંરક્ષક શ્રી આર.એલ. મિનાએ સાસણ અને ગીર વનરાજ સાથે કેસર કેરીનાં પ્રવાસીઓમાં આકર્ષણને બીરદાવતા જણાવ્યુસ હતુ કે જુનાગઢનાં લોકોનાં સહકાર અને સંસ્કાએરીતાનાં વારસાને લીધે પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં રાજ્ય પ્રવાસન નિગમની સહભાગીતાથી સાસણની ખુશ્બુ દેશનાં સિમાડા પાર કરી દુનિયાનાં ખુણે ખુણે પ્રસરી છે ત્યારરે મેંગો ફેસ્ટીહવલથી પ્રવાસીઓ કેસર કેરીની સાચી ઓળખ સાથે ગીરનાં સંભારણા સાથે લઇને જઇ શકશે. 
 
કાર્યક્રમનું આભાર દર્શન કરતા સાસણ વન પ્રદેશનાં નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે સાસણની આગવી ઓળખસિંહ અને કેસર કેરીનાં સંવર્ધનમાં સ્થાદનિક લોકોની સરાહનાં કરતા જણાવ્યુસ હતુ કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગીરની ફળોની મહારાણી કેસર કેરીને વિશ્વથ બજાર સુધી પહોંચતી કરવા પ્રવાસન સાથે સાંકળીને  મેંગો ફેસ્ટી વલનું આયોજન કરવામાં આવ્યુ તે સરાહનિય અને આવકાર દાયક છે. પ્રવાસન વિભાગ દ્વારા સિંહ દર્શને આવતા સહેલાણીઓ વનરાજની સાથે ફળોની મહારાણી કેસરને પણ ઓળખે, કેસરની સોડમ પારખ તેવા પ્રયાસોની સાથે સાસણ સહેલગાહ સેન્ટ રમાં પ્રવાસીઓને માળખાગત સુવીધાઓ જે રીતે પુરી પાડવામાં આવી રહી છે તેની જાણકારી આપી હતી.

No comments: