Tuesday, June 3, 2014

જાફરાબાદના શેલણામા ખુંખાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત.

જાફરાબાદના શેલણામા ખુંખાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત
Dilip Raval, Amreli | Jun 02, 2014, 16:04PM IST
રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં જાણે દીપડાની સંખ્યા વધી રહી હોય તેમ દરરોજ એક દીપડો પાંજરે પુરાઈ રહ્યો છે. વનવિભાગે ખાખબાઇમાથી ત્રણ દીપડા પાંજરે પૂર્યા હતા ત્યાં આજે જાફરાબાદ તાલુકાના શેલણા ગામની સીમમાંથી વધુ એક દપિડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
 
ગીર જંગલમા વસતા સાવજો અને દીપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમા પણ અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. રાજુલાના ખાખબાઇ ગામની સીમમાંથી વનવિભાગે ત્રણ દીપડાને પાંજરે પૂર્યા હતા ત્યાં આજે અહીંના જાફરાબાદ તાલુકાના શેલણા ગામની સીમમાથી વધુ એક દીપડાને પાંજરે પુરવામા સફળતા મળી છે.
 
શેલણાના ધાર વિસ્તારમાથી આજે ખુંખાર દિપડો પાંજરે સપડાઇ ગયો હતો. બે માસ પહેલા આ દિપડાએ અહીં એક ખેડુત પર હુમલો કર્યો હોવાનુ કહેવાય છે. દિપડો પાંજરે પુરાઇ જતા તેને જસાધાર એનીલમ કેર સેન્ટરમા મોકલી આપવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકમાથી આજે ચોથા દિવસે ચોથો દીપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

No comments: