Sunday, June 1, 2014

સોનાપુર સ્મશાન પાછળથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો.


Bhaskar News, Junagadh | May 27, 2014, 02:53AM IST
- સોનાપુર સ્મશાન પાછળથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો
- વૃદ્ધાવસ્થાનાં કારણે મોત થયાનું તારણ

જૂનાગઢની દક્ષિણ ડુંગર રેન્જનાં જોગણીયા બીટમાં આવેલા સોનાપુરી સ્મશાન પાછળનાં જંગલમાં દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ વન વિભાગને થતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દિપડાનો મૃતદેહ સંભાળી તેને પીએમ માટે ખસેડયો હતો. જેમાં દિપડાનું મોત વૃદ્ધાવસ્થાનાં કારણે થયું હોવાનું તારણ બહાર આવ્યું હતું. દક્ષિણ ડુંગર રેન્જની જોગણીયા બીટમાં આવેલા સોનાપુરી સ્મશાન પાછળનાં જંગલમાં દિપડાનો મૃતદેહ પડયો હતો.

જેની જાણ વન વિભાગને થતા દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને દિપડાનાં મોતનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો હતો. દિપડાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. ૧૨ થી ૧૩ વર્ષની ઉમરનાં દિપડાનું વૃદ્ધાવસ્થાનાં કારણે મોત થયાનું બહાર આવ્યુ હતુ. વન વિભાગે પીએમ બાદ દિપડાનાં અગ્નિસંસ્કાર કર્યા હતા. દિપડાનાં નખ વગેરે સલામત હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દિપડાનુ સરેરાશ આયુષ્ય ૧પ વર્ષ

જંગલમાંથી આજે વૃદ્ધાવસ્થાનાં કારણે એક નર દિપડાનુ મોત થયુ હતુ. સામાન્ય રીતે દિપડાનું સરેરાશ આયુષ્ય ૧પ વર્ષ હોય છે. જે દિપડાનુ મોત થયુ છે. તેની વય ૧૨ થી ૧૩ વર્ષ હોવાનુ જાણવા મળ્યુ છે.

No comments: