Tuesday, June 17, 2014

ગીર જંગલમાં ૧૬ જૂનથી વનરાજોનું વેકેશન થશે શરુ.

Bhaskar News, Junagadh | Jun 10, 2014, 01:10AM ISTગીર જંગલમાં ૧૬ જૂનથી વનરાજોનું વેકેશન થશે શરુ

- ચોમાસાની ઋતુ દરમ્યાન વનરાજોને સંવનનમાં ખલેલ ન પહોંચે અને જંગલમાં માર્ગો બંધ થઇ જતા હોય છે


આગામી થોડાજ દિવસોમાં હવે ચોમાસું શરુ થશે. ત્યારે વનરાજોનો સંવનનકાળ પણ શરુ થશે. આથી આ સમયગાળામાં પ્રવાસીઓની હાજરીને લીધે તેઓને ખલેલ ન પડે તે માટે વનવિભાગ દર ચોમાસામાં ગિરમાં એન્ટ્રી બંધ કરી દે છે.

આગામી દિવસોમાં હવે ચોમાસું શરુ થનાર છે. ત્યારે વનરાજોનો સંવનનકાળ પણ શરુ થનાર છે. વર્ષોથી વનવિભાગ દર ચોમાસામાં ગિર જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દે છે. તેની તારીખો જોકે, નક્કી જ હોય છે. પરંતુ ગત વર્ષે ચોમાસું લંબાઇ જતાં હવે આ વર્ષે ફક્ત જંગલમાં પ્રવેશ બંધ થવાની જ તારીખ જાહેર કરાઇ છે. આ અંગે સાસણ ગિર સ્થિત વન્ય પ્રાણી વર્તુળનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે કે, વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ તેમજ એ કાયદા નીચે બનાવેલા નિયમો પ્રમાણે ગિર વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂનથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

No comments: