Wednesday, June 4, 2014

બાબરાના તાઈવદરમાં દીપડાએ કર્યું શેઢાળીનું મારણ, લોકોમાં ભય.


Jun 04, 2014 00:01
બાબરા : બાબરાથી ૭ કિ.મી.દૂર આવેલા તાઈવદર ગામની લગોલગ આવેલી મુસ્લિમ પરિવારની વાડીમાં છેલ્લા ચાર દિવસથી આવી ચડેલા દીપડાથી ગ્રામ્ય વિસ્તાર ભયભીત બની ગયો છે.
બે દિવસથી જંગલ ખાતાના ચાવડા,મોરડીયા દીપડાને પાંજરે પુરવા મથામણ કરે છે.વાડીમાલિક સહીત ગામલોકો ખુલ્લામાં બાંધેલા પશુઓના રક્ષણ માટે રાત ઉજાગરા કરે છે.
 વાડીમાં તાજી વિસાયેલી ભેસના બચ્ચાને ઉપાડવા દીપડો ખેતરમાં આવી બેસતો હોવાથી અને મોટા ભાગના વાડીના મકાનો અને ગ્રામ્ય રહેઠાણો જુની ઢબના ખુલ્લા પડવારવાળા હોવાથી ભય ફેલાયો છે.મોડી સાંજે ખેતરમાં શેઢાળીનું મારણ કર્યાનું ન વિભાગે જણાવ્યું હતું.

No comments: