Tuesday, June 3, 2014

સાત વન અધિકારીને સસ્પેન્ડ કરવા લોકાયુક્તમાં ફરિયાદ.

Jun 02, 2014 00:55
  • ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિની રજૂઆતથી ખળભળાટ
વિસાવદર : ગુજરાતની અસ્મિતાના ગૌરવ સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોત તથા અભ્યારણમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ બદલ વર્ષોથી એક જ સ્થળે ચીટકી રહેલા જંગલખાતાના સાત અધિકારીઓને જવાબદાર ગણાવી આ તમામને સસ્પેન્ડ કરવા ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા લોકાયુક્તમાં ફરિયાદ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.ગુજરાત રાજય પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાકભાઈ બ્લોચ લોકાયુક્તને કરેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર અગ્રમુખ્ય વનસંરક્ષક ગાંધીનગર, ચીફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ, જૂનાગઢ, ગિરપૃર્વ, ગિરપશ્ચિમ, નોર્મલ વિભાગ અને સાસણના ડી.સી. એફ. સામે ફરજમાં બેદરકારી રાખી ઈન્ડિયન ફોરેસ્ટર એકટ ૧૯૨૭ તથા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન ૧૯૭૨ના કાયદાનો ભંગ કરનાર અધિકારીઓને હોદા પરથી દૂર કરવા અને ફોજદારી રાહે પગલા ભરવાની માંગ કરી છે કારણ કે જંગલખાતાના અધિકારીઓ તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે તેના કારણે કુદરતી વન્ય જીવસંપદા તથા વિશાળ માનવ સમુદાયનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. સંકળોગિરના સિંહોના મોતના જવાબદાર અને વન્યજીવ અને પર્યાવરણ રક્ષકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ભ્રષ્ટાચાર આચરી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે. વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૪માં ગીર અભ્યારણની થયેલી માપણી મુજબ કુલ ૧૪૧૨.૧૩ ચો.કી. ૩ ક્ષેત્રફળ હતુ પરંતુ હાલમાં આ વિસ્તારમાં ઘણું દબાણ થયેલ છે. તેમજ અભ્યારણ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક અધિકારીઓની મીઠી નજર હેઠળ ખનીજચોરી કરનારાઓને સામાન્ય પેનલ્ટી વસૂલ કરી જવા દેવામાં આવે છે. અભ્યારણના પ કી.મી.ના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના ઉદ્યોગોને બાંધકામની પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં ખુદ જંગલખાતાના અધિકારીઓ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં હોટેલ ઉદ્યોગને ફાર્મ હાઉસ, મોટા સંકુલોમાં બાંધકામ માટે પરવાનગી આપવામાં આવી છે. વર્ષ ૧૯૯૫માં થયેલ સિંહની વસ્તીમાં ૩૦૪ સિંહ હતા જયારે ૨૦૦૧માં ૩૨૭ થયા, વર્ષ ૨૦૦૫માં ની ગણત્રીમાં ૩૫૯ સિંહો હતા. જ્યારે ૨૦૧૦માં થયેલ સિંહ ગણત્રીમાં ૪૧૧ સિંહો હતા. છેલ્લા ર૦ વર્ષ દરમિયાન માત્ર ૧૦૭ સિંહોની સંખ્યામાં વધારો થયેલ છે તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૩૭ સિંહોના સતાવાર મત્યુ થયાએ સિવાય બિન સતાવાર ૩૦૦ થી વધુ સિંહોના મોત થયાનો આક્ષેપ રજાકભાઈ બ્લોચે કર્યો છે. જે સિંહોના મોત થયા તેમના ૮૦ ટકા સિંહોના મોત અભ્યારણ બહાર થયા કારણ કે પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ગિર અભ્યારણમાં સતત માનવ સમુદાયના હસ્તક્ષેપથી અને સતત ઘોંઘાટ, પોલ્યુશન, ખોરાક, પાણીની તકલીફ, અપુરતી સારવારના કારણે ગીરની શાન ગણાતા સિંહો પોતાની માહિભૂમી છોડીને અજાણ્યા વિસ્તારમાં જતા રહ્યાં છે. માત્ર જંગલ ખાતાના અધિકારીઓની બેદરકારીને કારણે જ સિંહો વિનાશાના આરે છે.
ગિર અભ્યારણ વિસ્તારમાં શરૃઆતમાં ૮૪૫ માલધારી કુટુંબો વસવાટ કરતા આ માલધારીઓ પાસે કુલ ૧૬૮૪૨ ઢોર હતા. જેના કારણે સિંહોને પુરતા પ્રમાણમાં શિકાર મળી રહેતો હતો. પરંતુ વર્ષ ૧૯૮૬ દરમિયાન જંગલખાતા દ્વારા ૫૮૦ માલધારીઓને અભયારણ્ય બહાર કાઢી મૂકવામાં આવ્યાં, તેની જગ્યાએ વન વિભાગ દ્વારા પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં આવી રહ્યો છે. જયારે નેસડાના માલધારીઓને પાકા બાંધકામો કરવા દેવામાં આવ્યાં ન હતા જયારે આજે બેરોકટોક બાંધકામો થઈ રહ્યાં છે.
છેલ્લા પાંચ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવી લાખો કરોડો રૃ.નો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના ઉદાહરણરૃપે મગર ઉછેર કેન્દ્ર પ્રકૃતિ શિબીર કેમ્પ સાઈટો, સિંહોના સંરક્ષણની કરોડો રૃ.ની ગ્રાંટોનો દૂર ઉપયોગ જેવી અનેક બાબતોને લઈ જંગલખાતાના અધિકારીઓ સામે ફરિયાદ કરેલ છે. ઉપરોકત ફરિયાદમાં રજાકભાઈના જણાવ્યાં પ્રમાણે ઉપરોકત ફરિયાદો અનેકવાર આધાર પુરાવા સાથે કરેલ હોવા છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકાયુક્તમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે લોકાયુક્ત શું કરે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
http://sandesh.com/article.aspx?newsid=2946502

2 comments:

Jaidev said...

I congratulate the committee members for their feelings & action regarding Lion Conservation.
But in my humble view, forest officers or any other Government officers are not within cognizance jurisdiction of Lokayukta under the Gujarat Lokayukta Act, 1986. Section 7 deals with 'Public Functionary' only and 'public functionary' is defined under section 2(7) of the Act, which does not include such officers.
Of course, the Lokayukta can take cognizance against the forest ministry, if from the complaint it believes that there is some inaction which is covered under definition of 'allegation' as prescribed in section 2(2) of the Act on part of the ministry regarding Lion Protection.

Jaidev said...

I congratulate the committee members for their feelings & action regarding Lion Conservation.
But in my humble view, forest officers or any other Government officers are not within cognizance jurisdiction of Lokayukta under the Gujarat Lokayukta Act, 1986. Section 7 deals with 'Public Functionary' only and 'public functionary' is defined under section 2(7) of the Act, which does not include such officers.
Of course, the Lokayukta can take cognizance against the forest ministry, if from the complaint it believes that there is some inaction which is covered under definition of 'allegation' as prescribed in section 2(2) of the Act on part of the ministry regarding Lion Protection.