Friday, June 6, 2014

અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી.

અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
Bhaskar News, Amreli | Jun 06, 2014, 00:09AM IST
- ઠેરઠેર વૃક્ષારોપણ, પ્રદર્શન, ચિંતન શિબીર સહિ‌તના કાર્યક્રમોનું આયોજન
- ગ્લોબલ વોર્મિંગની સામે રક્ષણ આપતી ૧પ જેટલી વનસ્પિતીઓ વિશે માર્ગદર્શન અપાયું


અમરેલીમા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર બાલભવન ખાતે લોકજાગૃતિ માટે વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરવામા આવી હતી. આ તકે પર્યાવરણ પ્રદર્શનીને સિનિયર સિવિલ જજ યુ.એમ.વ્યાસે ખુલ્લી મુકી હતી. પ્રો. ડોડીયાએ ઔષધિના રોપાઓના અભ્યાસ, ઉપયોગિતા, જતન અને સંવર્ધનની વિવિધ રીતો વિશે પ્રવચન આપ્યુ હતુ. તેમણે ગ્લોબલ વોર્મિ‌ગની અસરોને સહન કરી તેના સામે રક્ષણ આપતી ૧પ જેટલી વનસ્પતિઓ વિશે જીવંત પ્રદર્શન દર્શાવ્યુ હતુ. આ તકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે અધિક સિવિલ જજ ડી.કે.ચંદનાણી સહિ‌ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

બાબરામાં નગરપાલિકા, વનવિભાગ તેમજ ૧૦૮ના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. અહીના પંચકુંડના પટાંગણમા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અહી સિવીલ કોર્ટના જજ પવનકુમાર નવીન, મામલતદાર કે.એસ.કોટવાળ, ઇશ્વરદાન ગઢવી, પાલિકા પ્રમુખ જગદીશભાઇ નાકરાણીના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મંદિરના મહંત ઇશ્વરગીરીબાપુએ પર્યાવરણનુ મહત્વ સમજાવ્યુ હતુ અને વૃક્ષોનુ જતન કરવા અપીલ કરી હતી. આ તકે વનરાજભાઇ વાળા, રમેશભાઇ મીઠાપરા, પ્રતાપભાઇ ખાચર, હિ‌તેષભાઇ મીઠાપરા, જગુભાઇ ખાદા, સોમભાઇ બગડા, શૈલેષભાઇ અગ્રાવત, આશિષભાઇ, મહેશભાઇ સહિ‌ત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તો રાજુલાના કોવાયામા આદિત્ય બિરલા કોલોની ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે ગુજરાત પર્યાવરણ બોર્ડના મુકેશભાઇ પસોલીના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. આ તકે વી.ડી.પરમાર, પી.એસ.મજમુદાર, બાલાસુબ્રમનીયમ, પી.વી.રાવ, શ્રીકાંત, કૃષ્ણમીયા, તીવારી, એન.એન.થાનકી, અગ્નિહોત્રી, મવાલીયા, રામકુમાર યાદવ સહિ‌ત ઉપસ્થિત રહ્યાં હતા.

ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમીતે ચિંતન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. શિબીરમાં ગ્લોબલ વોર્મિ‌ગ, ઋતુચક્રમા થતા ફેરફારો, અતિશય ગરમી અને ઠંડી, વરસાદની અસમતુલા સહિ‌તના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામા આવી હતી. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડવો, સૌર અને પવન ઉર્જા‍નો ઉપયોગ કરવો, લોકભાગીદારીથી વધુમા વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો સહિ‌તની માહિ‌તી પણ આપવામા આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા, દિલીપભાઇ કાતરીયા, પરશોતમભાઇ આંબલીયા, ઇમરાન ડાયાતર, ધમેન્દ્ર ગોહિ‌લ, ઘનશ્યામ ઉનાગર, રહીમભાઇ, આતાભાઇ વાઘ, મોહિ‌ત ગોંડલીયા, અશોકભાઇ, અર્જુનભાઇ સહિ‌તના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

પીપાવાવ ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી અહી આરએફઓ બી.વી.ચાંદુ, કે.સી.શેખર, પરાગ ફુકન, સુપ્રકાશ ચક્રવતીના હસ્તે વૃક્ષોરોપણ કરવામા આવ્યુ હતુ. આ તકે વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઇ લહેરીએ ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિ‌ત કરી પર્યાવરણ અંગેની વિસ્તૃત સમજ આપી હતી.

No comments: