Tuesday, June 3, 2014

લીલીયા બૃહદ (ગીર) વિસ્તારમાં ર૦ સાવજોએ કર્યું નીલગાયનુું મારણ.

Jun 03, 2014 00:07

  •  એકસાથે વનરાજોના ટોળાના આગમનથી ગ્રામજનોમાં ફેલાયો ભયનો માહોલ
લીલાયા : લીલીયા બૃહદ (ગીર) વિસ્તારના ભોરીંગડાની સીમ નજીક એક સાથે ર૦-ર૦ સાવજોના ટોળાએ નીલગાયનું મારણ કર્યું હતું.ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.એકી સાથે ર૦ સાવજ નજરે નિહાળનાર લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
 લીલીયા બૃહદ(ગીર) વિસ્તારમાં સાવજોની સંખ્યા એટલી હદે વધી રહી છે કે અવાર નવાર સાવજોના મ?ટા ઝુંડ ગમે ત્યાં નજરે પડી જાય છે. આ વિસ્તારમાં એક જ ગ્રુપના ૩૦ થી વધુ સાવજોનો વસવાટ છે.આ સાવજો પોતાની હદમાં હરતા ફરતા રહે છે.મોટા ભાગે આ સાવજો પોત પોતાની રીતે છૂટા ફરતા રહેતા હોય છે પણ કયારેક ગ્રુપના મોટા ભાગના સભ્યો એક જ જગ્યાએ એકઠા પણ થઈ જતા હોય છે.આવું જ ગત રાત્રીના ભોરીગડાના પાદરમાં બન્યું હતું.
 વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભોરીંગડાના પાદરમાં ગત રાત્રીના એક સાથે ર૦ સાવજોનું ટોળું આવી ચડયું હતું અને એક નીલગાયનું મારણ કર્યું હતું.
 આ ગ્રુુપમાં ત્રણ માસના સિંહ બાળથી લઈ દસ વર્ષના સાવજોનો સમાવેશ જોવા મળતો હતો.બાદમાં સિંહ પરિવારે ભરપેટ ભોજન લીધું હતું.રાત્રીના સમયે ભોરીંગડા ગામની સીમ સાવજોની ડણકથી ગાજી ઉઠી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક વન તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા.
 ભોરીંગડાની સીમમાં એકી સાથે ર૦ સાવજોના મહા ટોળાને નજરે જોનારા કેટલાક લોકોના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.
http://sandesh.com/article.aspx?newsid=2946759

No comments: