Tuesday, June 3, 2014

ગઢડાનાં મોતીસરમાં ચિંકારાનાં ૩ શિકારી ઝબ્બે : અવશેષો કબ્જે કર્યા.


Bhaskar News, Una | Jun 01, 2014, 02:08AM IST
- ગઢડાનાં મોતીસરમાં ચિંકારાનાં ૩ શિકારી ઝબ્બે : અવશેષો કબ્જે કર્યા

ગીર ગઢડા તાલુકાનાં મોતીસરની સિમમાં જંગલ બોર્ડરની નજીક આવેલ હોય અને સિમમાં ગઇકાલે સમી સાંજનાં સમયે મોતીસર ગામનાં ત્રણ શખ્સો ભાવેશ ભગવાન સોલંકી, રાણા રૂખડ પરમાર, તેમજ ભૂપત બચુ પરમાર નામના શખ્સો નાનો મોટો શિકાર કરવાના ઇરાદે આંટાફેરા મારતા હોય એ સમયે જંગલમાંથી ચિંકાર નામનું પ્રાણ સીમમાં આવી પહોંચતા આ ત્રણેય શખ્સોએ ચિંકારાનો શિકાર કરવાનું મનમાં નક્કી કરી લેતા પ્રથમ આ ચિંકારાને જોરદાર લાકડીનો ઘા મારતા તે પડી ગયેલ બાદમાં તેમની નજીક પહોંચી જઇ ઇજા પામેલ ચિંકારાને પથ્થરનાં ઘા મારી મોત નિપજાવેલ હતું.

ત્યારબાદ આ ચિંકારનું મોત નિપજાવ્યા બાદ તેમના શરીરમાંથી ચામડુ કાઢી સારૂ કહેલ બાદમાં પણ તેમજ મોઢુ અલગ કરી નાખેલ હતું. બાદમાં આ ત્રણેય શખ્સોએ ચિંરાનાં માસનાં અલગ-અલગ ભાગ કરી પોત પોતાના ઘરે લઇ ગયા હતા.

આ અંગેની બાતમી ધારી રેન્જનાં ડીએફઓ અંશુમનને મળતા તાત્કાલીક જશાધાર રેન્જનાં એસીએફ વણપરીયા આર.એફ.ઓ બી.ટી.આયર, કોઠારીયા રેન્જનાં ફોરેસ્ટર આર.કે.ડેર, એન.એમ.મોરી, પઠાણભાઇ, વાણાભાઇ સહિ‌ત વનવિભાગનો સ્ટાફ મોતિસર જઇ તપાસ કરતા ત્રણેય શખ્સોનાં ઘરે પહોંચી ગયેલ અને માસ રાંધતા હતા ત્યારે વનવિભાગનાં અધિકારી પહોંચી જતાં તેઓ પણ ચૌંકી ઉઠયા હતા અને આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.

No comments: