Sunday, June 1, 2014

સિંહનાં મોત સામે લોકાયુક્તમાં ફરિયાદ : પગલા લેવાની માંગ.


Bhaskar News, Veraval | May 30, 2014, 00:38AM IST
 
- સિંહનાં મોત સામે લોકાયુક્તમાં ફરિયાદ : પગલા લેવાની માંગ

જંગલ વિભાગનાં અધિકારીઓ ફરજમાં બેદરકારી દાખવતા હોવાની લેખિત રજૂઆત ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિનાં રજાક બ્લોચ દ્વારા રાજ્યનાં લોકાયુક્ત વિભાગમાં કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરેલ છે. ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિનાં પ્રમુખ રજાક બ્લોચ દ્વારા કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, ગીર અભ્યારણ વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવામાં નિષ્ફળ ગયેલ હોય તેમ વર્ષ ૧૯૬પ તથા ૧૯૭૪માં ગીર અભ્યારણ વિસ્તારની થયેલ માપણી મુજબ કુલ ૧૪૧૨.૧૩ ચો.કી.મી.નું ક્ષેત્રફળ હતુ પરંતુ હાલમાં આ વિસ્તારમાં ઘણુ દબાણ થયેલ હોવાનો આક્ષેપ કરેલ છે. અને ખનિજચોરો દ્વારા બેફામ પણે ગીર અભ્યારણ વિસ્તારમાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહેલ હોવાનું જણાવેલ છે.

આ ઉપરાંત ઇ.સ.૧૯૯પમાં થયેલ સિંહ ગણતરી મુજબ ૩૦૪ સિંહો હતા અને વર્ષ ૨૦૦૧માં ૩૨૭ સિંહો હતા જ્યારે વર્ષ ૨૦૦પમાં ૩પ૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧ સિંહો હતા અને આ આંકડા મુજબ છેલ્લા વીસ વર્ષમાં ૧૦૭ સિંહની સંખ્યામાં વધારો થયેલ તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં ૨૩૭ સિંહોનાં સત્તાવાર મૃત્યું નિપજેલ છે. ગીર અભ્યારણ વિસ્તારમાં ૮૪પ માલધારી કુટુંબ વસવાટ કરતા તે પૈકીના માલધારીઓ પાસે ૧૬૮૪૨ ઢોરની સંખ્યા હતા. અને આ અભ્યારણમાં સિંહોને પુરતા પ્રમાણમાં શિકાર મળી રહેતો પરંતુ વર્ષ ૧૯૮૬ દરમ્યાન જંગલખાતા દ્વારા પ૮૦ માલધારી કુટુંબને અભ્યારણ બહાર કાઢી મુકવામાં આવ્યા અને અભ્યારણ વિસ્તારમાં ઉદ્યોગને બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતા આ કાયદાનો ભંગ થઇ હોવાનું રજૂઆતમાં જણાવેલ છે.

No comments: