Tuesday, June 30, 2020

ખુશીના સમાચાર / ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો, 2015ના વર્ષ કરતા 2020માં 151 સિંહો વધ્યા, વસ્તી 674 થઇ, મોદીએ ટ્વીટ કર્યું

  • છેલ્લા સાત વર્ષથી દર મહિને પૂનમના દિવસે વન વિભાગ દ્વારા અવલોકન થાય છે

દિવ્ય ભાસ્કર

Jun 10, 2020, 08:06 PM IST

જુનાગઢ. એશિયાટીક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે. તેમાય ગીર જંગલ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વરસાટ છે. ગુજરાત માટે સારા સમાચાર છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આથી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 સિંહનો વધારો થયો છે. 

મોદીએ ટ્વીટ કર્યું
આ ખુશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટ કરી વ્યક્ત કરી છે. તેઓએ લખ્યું છે કે, ગુજરાતના ગીર જંગલમાં રહેતા જાજરમાન એશિયાટિક સિંહોની વસ્તી લગભગ 29 ટકા વધી છે. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36 ટકાનો જેટલો વધારો થયો છે. ગુજરાતની જનતા અને તે બધાને જેની કોશિશોથી આ ઉત્તમ પરાક્રમ છે.

દર પૂનમે વન વિભાગ દ્વારા સિંહોનું અવલોકન કરાઇ છે
વન વિભાગ દ્વારા 5 જુને એટલે પૂનમનાં દિવસે બપોરના 2 વાગ્યેથી છઠ્ઠી તારીખના બપોરના 2 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. વન વિભાગના સ્ટાફ દ્વારા દર મહિને પૂનમના દિવસે 24 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરવામાં આવે છે. આ અવલોકન છેલ્લા સાત વર્ષથી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના સિંહો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે. આમ સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી રહી છે.

જુનાગઢના નવાબોએ સિંહનું સંવર્ધનનું કામ કર્યું હતું
સિંહના સંવર્ધનનું કામ જુનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2015માં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27%નો વસ્તી વધારો નોંધાયો હતો. વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું. 2020ના વર્ષમા પુખ્ત વયના નર સિંહ 161, માદા 260 તેમજ પાઠડામાં નર 45, માદા 49 અને વણઓળખાયેલા 22નો સમાવેશ થાય છે. જ્યારે સિંહબાળની સંખ્યા 137 થાય છે. આમ કુલ 674 સિંહો થાય છે.  

1990થી 2020 સુધીમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં થયેલો વધારો
1990- 284
1995-304
2001-327
2005-359
2010-411
2015-523
2020 -674

(અતુલ મહેતા, સરમન ભજગોતર, જુનાગઢ)
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/the-number-of-lions-increased-in-gujarat-127394967.html

No comments: