Tuesday, June 30, 2020

જૂનાગઢ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરાયું

વૃક્ષારોપણ અને સ્લોગન સ્પર્ધામાં આમ જનતા પણ ભાગ લઇ શકશે દિવ્ય ભાસ્કરJun 04, 2020, 04:00 AM IST જૂનાગઢ. બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્લોગન અને વૃક્ષારોપણ સ્પર્ધામાં એ અને બી એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. કેટેગરી A માં ધો.5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અને કેટેગરી B માં કોલેજ તથા આમ જનતા ભાગ લઇ શકશે. સ્લોગન સ્પર્ધામાં આપના ઘરની બહાર પર્યાવરણ સંદેશ અથવા પોસ્ટર જાતે બનાવેલું રસ્તામાં નીકળતા લોકો જોઈ શકે તેઓ ફોટો પાડી મોકલવાનો રહેશે. જિલ્લા બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર , બીલનાથ મંદિર પાસે સંપર્ક સાધવા પ્રતાપસિંહ ઓરાએ જણાવ્યું છે. સ્પર્ધકો આગામી 10 જુન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. 

No comments: