Tuesday, June 30, 2020

ચર્ચા / પક્ષી, પ્રાણીઓને બચાવવા જૂનાગઢમાં 7 NGOની મિટીંગ

  • પક્ષીઓની વસ્તી વધે તે અંગે ચર્ચા થશે

દિવ્ય ભાસ્કર

Jun 14, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ ગાયત્રી મંદિર, ભવનાથ રોડ ખાતે શહેરની 7 સામાજિક સંસ્થાઓ સત્યમ સેવા મંડળના મનસુખભાઇ, ગાયત્રી વિદ્યાપીઠના નાગભાઈ, સુરભી ફોઉન્ડેશનના રમેશભાઈ, વસુંધરા નેચરલ ક્લબના પ્રવીણભાઈ વાઘસિયા, ભગવતી મહિલા ચારીટેબલ ટ્રસ્ટના જયશ્રીબેન, સામાજિક કાર્યકર આશિષ મહેતા, ચાવડા ભાઈ, અન્ય સામાજિક કાર્યકર તથા લાયન્સ કલબના સ્થપાક પ્રમુખ અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ યોજાઈ હતી. જેમાં પક્ષીઓની વસ્તી વધે તે માટેના ઉપાય વિશે વિચારવા કરવામાં આવી હતી.  

આ પ્રયાસ માટે એક સંસ્થાની સ્થાપના કરવા માટે આવતી કાલ તા.14 રોજ ગાયત્રી મંદિર ખાતે નવા સૂચનો અને સંસ્થાની એક રૂપરેખા, નિયમો, કામગીરી વગેરે માટે સાંજે 5.00 કલાકે મીટીંગ યોજાશે. જે કોઈ આ સેવાકીય પ્રવૃત્તિ માં રસ હોય તેઓને હજાર રહેવા અમિત શાહ એ અપીલ કરી છે. જોકે ચકલીઓ પણ હવે લુપ્ત થતી જાય છે. તેને બચાવવા પણ કામગીરી કરાશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/meeting-of-7-ngos-in-junagadh-to-save-birds-and-animals-127406955.html

No comments: