Tuesday, June 30, 2020

જે વિશ્વ પર્યાવરણ દિવસ / સુખપુરનાં વૃદ્ધે 2500 વૃક્ષ વાવીને ઉછેર્યા


પશુ-પક્ષીઓની પણ સેવા કરી રહ્યા છે
પશુ-પક્ષીઓની પણ સેવા કરી રહ્યા છે

  • વર્ષોથી સવારનાં 6 થી સાંજના 6 સુધી કામગીરી

દિવ્ય ભાસ્કર

Jun 05, 2020, 04:00 AM IST

વિસાવદર. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસે એવા પર્યાવરણ રક્ષકની વાત કરીએ કે જે વર્ષોથી વૃક્ષોનું વાવેતર કરી જતન કરી રહ્યાં છે.વિસાવદર પંથકના સુખપુર ગામે રહેતાં રવજીભાઈ સમજુભાઈ રામાણી નામના 85 વર્ષીય વૃદ્ધ વર્ષો થી પર્યાવરણ પ્રત્યે અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યાં છે.અને ઘણા વર્ષોથી સવાર ના 6 વાગ્યાથી સાંજ ના 6 વાગ્યા સુધી માત્ર વૃક્ષોની કાળજી અને ઉછેરવાની કામગીરી કરી રહ્યાં છે.

આ અંગે રવજીભાઈએ કહ્યું હતું કે હું વર્ષો પહેલા અમરનાથની યાત્રાએ ગયો હતો ત્યાંથી આવી મને વૃક્ષો પ્રત્યે અનહદ લાગણી થઈ હતી અને ગામના પાદરમાં,પંચાયતની જમીનમાં અનેક વૃક્ષ વાવ્યા જેમાં પીપળો, લીમડો, વડલાના ઝાડનો સમાવેશ થાય છે. અને અત્યાર સુધીમાં 2500 વૃક્ષનો ઉછેર કર્યો છે. જેને પાણી મળી રહે તે માટે 25 હજારની પાઇપ નાંખી હતી.વધુમાં તેમણે કહ્યું હતું કે હું સવારના સમયે સાયકલ લઈ અહીં આવી જાવ શુ.અને આ કામમાં હું કોઈની મદદ પણ લેતો નથી. જ્યારે પંચાયતમાંથી વૃક્ષોને પાણી આપતો ત્યારે અમુક લોકોએ વિરોધ પણ કર્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/an-old-man-from-sukhpur-planted-and-raised-2500-trees-127375683.html

No comments: