Tuesday, June 30, 2020

સૌરાષ્ટ્રમાં મેઘમહેર / તાલાલાગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં

  • તાલાલાના ધાવા જશાપુર, અમૃતવેલ, રસુલપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ

દિવ્ય ભાસ્કર

Jun 16, 2020, 07:21 PM IST

રાજકોટ. સૌરાષ્ટ્રમાં આજે મંગળવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. ત્યારે તાલાલાગીરના ગામડાઓમાં આજે બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તાલાલાના ધાવા જશાપુર, અમૃતવેલ, રસુલપરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઇ ગયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેનાથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. 

(જયેશ ગોંધિયા, ઉના) 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/heavy-rain-fall-in-talala-area-and-saurashtra-127415649.html

No comments: