Tuesday, June 30, 2020

ગિર પૂર્વ વિસ્તારમાં સિંહોના મોત મામલે દિલ્હીથી 3 લોકોનું આગમન

  • ટીમે પીએમ અને સેમ્પલોના ટેસ્ટીંગની વિગતો મેળવી

દિવ્ય ભાસ્કર

Jun 01, 2020, 05:00 AM IST

જૂનાગઢ. ગિર જંગલના પૂર્વ વિભાગમાં સિંહોના મોત મામલે પ્રકૃતિપ્રેમીઓએ સવાલો ઉઠ્યા હતા. જેને પગલે દિલ્હીથી 3 સભ્યોની બનેલી ઉચ્ચસ્તરિય ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. આ ટીમે આજે સક્કર બાગ ઝૂની મુલાકાત લીધી હતી. અને સિંહોના મોત બાદ પીએમ અને સેમ્પલોના ટેસ્ટીંગ રિપોર્ટની વિગતો મેળવી હતી.

દિલ્હીથી કેન્દ્રિય વનવિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ગોપીનાથ, ઇન્ડિયન વેટરનરી ઇન્સ્ટીટ્યુટના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યુટના સભ્યની બનેલી ટીમ આજે સાંજે જ્યાં સિંહોના સૌથી વધુ મોત થયાના આક્ષેપો ઉઠ્યા છે એ ધારી અને જાનવડલાના અમુક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ પહેલાં ટીમે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પણ વેટરનરી હોસ્પિટલમાં સિંહોને કેવી રીતે સારવાર અપાઇ રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે બહારના જે સિંહો મોતને ભેટ્યા તેઓ આંકડો વનવિભાગે જાહેર કર્યો. 

જે સિંહો સક્કરબાગ અને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં મોતને ભેટ્યા તેનો આંકડો જાહેર ન કર્યાનો આક્ષેપ પણ વન્યપ્રાણી પ્રેમીઓએ કર્યો છે. આ મામલે જોકે, વનવિભાગના અધિકારીઓએ મૌનજ સેવ્યું છે. દરમ્યાન કેટલાક લોકોએ એવા સવાલો ઉઠાવ્યા છેકે, વર્ષ 2018 માં જે રીતે સિંહોના કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી મોત થયા હતા. એજ સીડીવી ફરી ત્રાટક્યો છે. જ્યારે વનવિભાગે તાજેતરમાં થયેલા મોત માટે સીડીવી જવાબદાર ન હોવાનું જેતે વખતે જણાવ્યું હતું. આ મામલે થયેલી રજૂઆતોને પગલે જ ટીમ આવી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/3-people-arrive-from-delhi-in-case-of-death-of-lions-in-gir-east-area-127361398.html

No comments: