Tuesday, June 30, 2020

આક્ષેપ / સિંહોની સંખ્યામાં થયેલો વધારો ભ્રામક હોવાનો આક્ષેપ

દિવ્ય ભાસ્કર

Jun 12, 2020, 04:00 AM IST

જૂનાગઢ. વન વિભાગ દ્વારા પૂનમ અવલોકન કરવામાં આવ્યું છે જેમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. ત્યારે સિંહોની સંખ્યામાં થયેલો વધારો ભ્રામક હોવાનો ખમ્મા ગીરને સંસ્થાના નરેન્દ્રભાઇ મોજીદરા દ્વારા આક્ષેપ કરાયો છેે. નરેન્દ્રભાઇ મોજીદરાએ જણાવ્યું છે કે, ખોટા ભ્રામક પ્રચાર કરી વન વિભાગ લોકોની આંખોમાં ધૂળ જોકવાનું બંધ કરે. 5 વર્ષમાં જેટલા સિંહ જન્મયા છે તેના કરતા અનેક ગણા અકુદરતી રીતે મોતને ભેટ્યા છે.

સિંહોની સંખ્યામાં થયેલા વધારાના આંકડા ટાંકી જણાવ્યું છે કે, 2001 માં 7.5 ટકા અને 2005માં 9.7 ટકાનો વધારો થયો છે જેમાં જન્મદરનો ફરક માત્ર 2.2 ટકા જ છે. જ્યારે 2010માં 14.48 ટકાનો વધારો દર્શાવાયો છે જેમાં જન્મદરનો ફરક (14.48 -9.7) 4.7 ટકાનો ગણાય. જ્યારે 2015માં 27.25 ટકાનો વધારો દર્શાવાયો છે જેમાં જન્મદરનો ફરક (27.25 - 14.48) 12.77 ગણાય. જ્યારે 2020માં 28.87 ટકાનો વધારો દર્શાવાયો છે જેમાં જન્મદરનો ફરક (28.87 - 27.25) 1.62 ટકા જ ગણાય
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-increase-in-the-number-of-lions-is-alleged-to-be-misleading-127399803.html

No comments: