Tuesday, June 30, 2020

નિર્ણય / અભ્યારણમાં આવેલ ધાર્મિક સ્થાનોમાં દર્શનને મંજૂરી અપાઇ

દિવ્ય ભાસ્કર

Jun 11, 2020, 04:00 AM IST

જૂનાગઢ. અભ્યારણમાં આવેલા ધાર્મિક સ્થાનોમાં પણ દર્શન કરવાની વન વિભાગે મંજૂરી આપી છે. આ અંગે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 8 જૂને દેવસ્થાનોને ખોલવા જણાવ્યું હતું તેમ છત્તાં વન અધિકારીઓએ અભ્યારણમાં આવતા દેવસ્થાનો ખોલ્યા ન હતા અને વન વિભાગનો પરિપત્ર આવે પછી જ ખોલવા જણાવ્યું હતું. આમ, ઉપલા દાતાર પણ ખુલ્યું ન હતું. બાદમાં આ અંગે જૂનાગઢ ભાજપના અગ્રણીઓએ સીએમ વિજય રૂપાણીને ટેલીફોનિક રજૂઆત કરી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/darshan-is-allowed-in-the-religious-places-in-the-sanctuary-127396443.html

No comments: