Tuesday, June 30, 2020

સિંહનું મારણ / નાના કાજલીયાળામાં સિંહે બળદનું મારણ કર્યું

  • વન્ય પ્રાણીઓના ધામાથી લોકોમાં ભયનો માહોલ, વન ‌વિભાગે કાર્યવાહી હાથ ધરી

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:00 AM IST

શાપુર. નાના કાજલીયાળા ગામે સાવજોએ બળદનું મારણ કરતા આ પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે. છેલ્લા કેટલાય સમયથી વંથલી નજીક વાડી વિસ્તારોમાં જંગલના રાજા સિંહોના આંટાફેરા વધી રહ્યા છે ત્યારે ગઈ રાત્રીના વંથલીના નાના કાજલીયાળા ગામે રાત્રીના સિંહોના ટોળાએ રસિકભાઈ મકવાણાની વાડીએ  બળદનું મારણ કરતા ખેડૂતોમાં ભયની લાગણી વ્યાપી ગયી છે. આ અંગે વનખાતાને જાણ કરતા વનકર્મચારીએ ઘટના સ્થળે જતા સિંહોના પંજાના નિશાન જોવા મળ્યા હતા.

આ અંગે બળદના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે,કે થોડા દિવસો પહેલા સાવજોએ કેશોદ પંથકમાં ધામા નાખ્યા હતા અને પશુઓના શિકાર કર્યા હતા જો કે લાંબા સમય બાદ આ પંથકમાં ફરી સાવજો જોવા મળ‌તા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-lion-killed-the-ox-in-the-small-soot-127433692.html

No comments: