Tuesday, June 30, 2015

જૂનાગઢ જિલ્લામાં ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર અને કોકોનટ બોર્ડની કચેરી બનશે.

DivyaBhaskar News Network
Jun 24, 2015, 08:40 AM IST

જૂનાગઢજિલ્લામાં આજરોજ કેન્દ્ર કૃષિમંત્રીએ ગાયના સંવર્ધનનાં ગુજરાતમાં બે કેન્દ્ર પૈકી જિલ્લામાં ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે તેમજ કોડીનારમાં રાષ્ટ્રીય શાખા બનશે તેમ જણાવ્યું હતું.

જૂનાગઢમાં હવે ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે તેમજ સૌરાષ્ટ્રમાં થતા કોકોનેટનાં વધુ પાકને ધ્યાનમાં લઇને કેન્દ્રીય કૃષિમંત્રી મોહનભાઇ કુંડારીયાએ આજરોજ જૂનાગઢને ગાય અને કોકોનેટ બાબતે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌ મિશનનાં ભાગરૂપે ગુજરાતમાં બે નવા ગાય સંવર્ધન કેન્દ્ર શરૂ થવાનાં છે. જેમાં ઉતર ગુજરાતમાં કાકરેજી ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે. તેમજ સૌરાષ્ટ્રનાં નાળીયેરીનો મહત્તમ પાક થતો હોય પણ કોકોનેટના રાષ્ટ્રીય બોર્ડની બ્રાંચ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં કોકોનેટ બોર્ડની શાખા શરૂ કરવા નિર્ણય લીધો છે. કેન્દ્રમાં સૌરાષ્ટ્રનાં નાળીયેરીનાં ખેડૂતોને સબસીડી તેમજ નવા પાકની માહિતી પ્રાપ્ત થશે. માટેનો સર્વે હજુ તાજેતરમાં થઇ ચૂક્યો છે.

No comments: