Tuesday, June 30, 2015

જળ સંગ્રહની જયોત છેક ગામડામાં ઘરે ઘરે પહોંચાડીશું

DivyaBhaskar News Network
Jun 15, 2015, 07:35 AM IST
જળ સંગ્રહની જયોત છેક ગામડામાં ઘરે ઘરે પહોંચાડીશું
પાણીનીપીડા ભોગવતા અમરેલી માટે સમસ્યામાંથી છુટકારો મેળવવાનો ઉપાય શું ? તંત્ર દ્વારા નગરના લોકોને પાણીનો પુરતો પુરવઠો આપવામા આવે તે ઉપાય તો છે સાથેસાથે નગરના લોકો દ્વારા પાણીનો કરકસરપુર્વક ઉપયોગ, પુન: વપરાશ જેવા ઉપાયોની સાથેસાથે વરસાદી પાણીનો સંગ્રહ જેવા ઉપાયો પણ અમલમાં મુકવામા આવે તો શહેરની જળ સમસ્યા ઘણા અંશે હળવી બની જાય તેમ છે. દિવ્યભાસ્કરે મુદ્દે કરેલા લોકજાગૃતિના પ્રયાસોને અભિયાનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને દિશામા કામ કરી રહી છે.

આજે અમરેલીના કડવા પટેલ વિદ્યાર્થી આશ્રમની છાત્રાઓ તથા ઓકસફોર્ડ સ્કુલ હોસ્ટેલના છાત્ર-છાત્રાઓએ જાગૃકતા દાખવી વરસાદી પાણીના સંગ્રહ માટે સંકલ્પ વ્યકત કરી છેક ગ્રામ્ય વિસ્તાર સુધી અભિયાન પહોંચે તે દિશામા પ્રયાસો હાથ ધર્યા હતા. ડાયનેમિક ગૃપના પ્રમુખ પ્રોફેસર હરેશ બાવીશી, ઓકસફોર્ડ સ્કુલના પ્રિન્સીપાલ પ્રહલાદભાઇ વામજા, કડવા પટેલ વિદ્યાર્થીની આશ્રમના સંચાલકોની રાહબરી નીચે છાત્ર-છાત્રાઓએ દરેકે પોતાના ઘરમાં વરસાદી પાણીને ભુગર્ભ ટાંકામા સંગ્રહવાની નેમ વ્યકત કરી હતી. છાત્ર-છાત્રાઓએ એમપણ જણાવ્યું હતુ કે માત્ર અમરેલી શહેર નહી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાના રહેણાંકોની છત પર વરસતુ પાણી સીધુ ભુગર્ભ ટાંકાઓમાં ઉતરે તે માટે તેઓ ઘરેઘરે જઇ સમજાવટ કરશે. કારકિર્દીનો હજુ તો આરંભ કરવા જઇ રહ્યાં છે તેવા છાત્રા-છાત્રાઓ જાગૃકતા દાખવી રહ્યાં છે તેનાથી અન્યને પ્રેરણા ચૌકકસ મળી રહી છે.

અમે સંકલ્પ કરીએ છીએ કે, અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેક ઘરોમાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા હેતુ જન-જન સુધી સંદેશો પહોંચાડશું.

કુદરત મહેરબાન છે તો પાછુ વાળી શું કામ જોવું- પ્રતાપ દુધાત

યુવાકોંગીપ્રમુખ પ્રતાપભાઇ દુધાતે જણાવ્યું હતુ કે હાલમાં ચોમાસાની પણ ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ત્યારે આપણે વરસાદી પાણીનો બને તેટલો સંગ્રહ કરીએ તે જરૂરી છે. ઘરે ઘરે ભુગર્ભ ટાંકાઓ પણ બનાવવા જોઇએ જેથી વરસાદનુ પાણી વેડફાઇ જાય અને જળ સમસ્યા હળવી બની શકે. ઓણસાલ મેઘરાજા પણ મહેરબાન થયા છે ત્યારે આપણે પણ પાણીનો સંગ્રહ કરીએ જેથી જળ સમસ્યા જરૂર હલ થઇ શકે.

ખેડૂતો પણ વરસાદી પાણીનો સંગ્રહ કરે- નિશા સાવલીયા

અહીનીછાત્રાકુ. નિશા સાવલીયાએ જણાવ્યું હતુ કે આપણા વિસ્તારમાં પાણીના સંગ્રહની પુરતી સુવિધા નથી. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી નિરર્થક વહી જાય છે અને ખેડૂતો પાણી માટે તરસતા રહે છે ત્યારે વાડીઓના બોર કુવાઓમાં પણ જો વરસાદી પાણી ઉતારી શકાય તેનાથી રૂડુ શું ? માટે હું ગ્રામ્ય વિસ્તારોમા ખેડૂતો સાથે વાત કરીશ.

દિવ્ય ભાસ્કર

પાણીની સમસ્યા

સમાધાન હળીમળીને

છાત્ર- છાત્રાઓએ સંકલ્પ લઇ જળ સંગ્રહ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઇ સમજ આપશે. વરસાદી પાણીનો વેડફાટ થાય તે માટે ઘરે ઘરે ભુગર્ભ ટાંકાઓ બનાવવા પણ સમજ આપવામા આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો રીતે જળ સંગ્રહ કરે તો સમસ્યા જરૂર હળવી બની શકે

હું મારા ગામમાં ફરી ઘરેઘરે સમજાવટ કરીશ- હેમાંગી પંડ્યા

અહીનીઓકસફોર્ડસ્કુલની છાત્રા કુ. હેમાંગી પંડયાએ જણાવ્યું હતુ કે હું મારા ગામમા જઇ તમામ નાગરિકોને વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ફરીને સમજાવટ કરીશ. જે લોકોને ઘરમાં પાણીના ટાંકાઓ છે તેઓ વરસાદી પાણી સીધેસીધુ ટાંકામા ઉતરે તેવી વ્યવસ્થા કરે. વધુને વધુ લોકો વાતનો અમલ કરે ત્યારે અમારો પ્રયાસ સાર્થક ગણાશે.

No comments: