Tuesday, June 30, 2015

શેત્રુંજી નદીનું ધસમસતું પૂર સાવજોને તાણી ગયું : હર્યા-ભર્યા સિંહ પરિવારનો કચ્ચરઘાણ : શેત્રુંજીના પાણીએ વન્યપ્રાણીઓનો સોથ બોલાવ્યો : ક્રાંકચ નજીકથી બે, પાલીતાણા નજીકથી બે તથા પીપરડીમાંથી..


શેત્રુંજી નદીનું ધસમસતું પૂર સાવજોને તાણી ગયું : હર્યા-ભર્યા સિંહ પરિવારનો કચ્ચરઘાણ : શેત્રુંજીના પાણીએ વન્યપ્રાણીઓનો સોથ બોલાવ્યો : ક્રાંકચ નજીકથી બે, પાલીતાણા નજીકથી બે તથા પીપરડીમાંથી...
DivyaBhaskar News Network
Jun 27, 2015, 07:35 AM IST

અમરેલી જીલ્લાની શાન સમા ક્રાંકચ પંથકના સાવજ પરિવારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. શેત્રુજી અને તેમાં ભળતી અન્ય નદીઓએ અહિંનું ઘરેણુ ગણાતા સાવજોને પુરના ગર્તામાં ધકેલી દીધા છે. નિષ્ફળ વનતંત્રની લાચારી વચ્ચે પુરના કારણે સાત-સાત સાવજોના મોત થયાનું બહાર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે. ગઇકાલે બવાડીમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પુરમાં તણાયેલા બે સિંહના મૃતદેહ પાલીતાળાના જીવાપર નજીકથી મળ્યા હતાં. જ્યારે પીપરડીમાંથી પુરમાં તણાયેલો સિંહ મળી આવ્યા બાદ તેનું સારવારમાં મોત થયુ હતું. એક સિંહનો મૃતદેહ ચાંદગઢની સીમમાં પડયો હોવાનું જાણવા મળેલ છે. જ્યાં તંત્ર પહોંચ્યુ નથી.

દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા એક સપ્તાહ પહેલા ક્રાંકચ પંથકમાં સિંહો પર શેત્રુજીના પુરનો ખતરો હોવાનું ધ્યાન દોર્યા બાદ પણ તંત્ર નહી જાગતા અમરેલી જીલ્લાના ઘરેણા સમાન ક્રાંકચના સાવજોની ભારે ખાનાખરાબી સર્જાય છે. શેત્રુજીના ધસમસતા પુરે એક સાથે સાત-સાત સાવજોનો ખાત્મો બોલાવી દીધાનું બહાર આવતા સિંહપ્રેમીઓનો આત્મા કકળી ઉઠ્યો છે. શેત્રુજીના કાંઠાળ વિસ્તારમાં હજુ તંત્ર ક્યાંય પહોંચી શક્યુ નથી. ત્યાં આવી ખાનાખરાબી બહાર આવી છે ત્યાં આવનારા દિવસોમાં ચિત્ર શું હશે તે કલ્પના ધ્રુજાવી મુકે તેવી છે.

આજે ક્રાંકચ નજીક ખારી વિસ્તારમાં ગાગડીયા નદીના પટમાંથી આઠ વર્ષના એક કદાવર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરાંત અહિં એક સિંહબાળનો પણ મૃતદેહ મળી આવતા સ્થાનિક વનકર્મીઓ ગારો ખુંદી બન્ને મૃતદેહોનો કબજો લેવા મોડી રાત્રે કામે લાગ્યા હતાં. અને મોડેથી બન્ને મૃતદેહો બહાર લવાયા હોવાનું જાણવા મળેલ છે. આવી રીતે સાવરકુંડલા રેન્જમાં પીપરડી ગામે શેત્રુજીના પુરમાં તણાઇને આવેલી એક સિંહણ જીવીત બચી ગયા બાદ તેને સારવાર માટે ધારી લઇ જવાઇ હતી. પાંચ વર્ષની સિંહણના ફેફસામાં પાણી ભરાઇ જતા તેનું સારવારમાં મોત થયુ હતું.

લીલીયા પંથકનું શેત્રુજીનું તમામ પાણી પાલીતાણાના શેત્રુજી ડેમમાં ઠાલવાયુ હતુ ત્યારે લીલીયાથી પાલીતાણા સુધીની પટ્ટીમાં સિંહોના મૃતદેહ મળવાની આશંકા વચ્ચે આજે પાલીતાણાના જીવાપર અને ગાજરીયા ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાંથી એક સિંહણ તથા એક સિંહનો મૃતદેહ મળી આવ્ય હતો. બન્ને મૃતદેહો પુરમાં તણાયને અહિં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે લીલીયાના બવાડી ગામમાંથી પણ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરાંત અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં નદીના કાદવમાં એક સિંહનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળેલ છે. જ્યાં સુધી હજુ તંત્ર પહોંચી શક્યુ નથી. વિસ્તારમાં 40 સિંહનો પરિવાર વસે છે. જે રીતે શેત્રુજીએ તારાજી સર્જી છે તે જોતા કેટલા સિંહ બચશે તે કહેવુ મુશ્કેલ છે.

શેત્રુંજી નદીમાં 15 દિવસ પહેલા જોવા મળેલ સિંહ પરિવારનો કોઇ અત્તો પત્તો નથી

લીલીયા પંથકમાંથી

પાલિતાણા નજીકથી

ગઇકાલે બવાડીમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પુરમાં તણાયેલા બે સિંહના મૃતદેહ પાલીતાળાના જીવાપર નજીકથી મળ્યા હતાં. જ્યારે પીપરડીમાંથી પુરમાં તણાયેલો સિંહ મળી આવ્યા બાદ તેનું સારવારમાં મોત થયુ હતું. એક સિંહનો મૃતદેહ ચાંદગઢની સીમમાં પડયો હોવાનું જાણવા મળેલ છે. જ્યાં તંત્ર પહોંચ્યુ નથી અને લીલીયાથી પાલીતાણા સુધીની પટ્ટીમાં જીવાપર અને ગાજરીયા ગામની સીમમાં શેત્રુંજી નદીના પટ્ટમાંથી એક સિંહણ અને એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. / મનોજજોષી, અરૂણ વેગડા

તસ્વીર 15 દિવસ પહેલા શેત્રુંજી નદીનાં પટ્ટમાં સિંહ પરિવારની લેવાયેલી છે. હવે આખા પરિવારનો કોઇ અતો પતો નથી. વન વિભાગને જાણ નથી કે સિંહ પરિવાર કયાં છે. ત્યારે તેનો હિસાબ પણ વન તંત્રએ આપવો પડશે. / મનોજજોષી

વધુ બે સાવજો તણાઇ ગયા

દરમીયાનઅન્યબે સાવજો પણ પુરમાં તણાયા છે. સાવરકુંડલાના ભમોદ્રા નજીક એક સિંહણ પુરમાં તણાઇ ગયા બાદ જેમ તેમ કરી બચી હતી. જેને સારવાર માટે વનતંત્ર દ્વારા મહુવા લઇ જવાઇ છે. જ્યારે એક સિંહ પુરમાં તણાયા બાદ બચી જતા ઇંગોરાળામાં મહાદેવ મંદિરમાં બે દિવસથી ઘુસી ગયો છે. સિંહ બિમાર છે. પરંતુ વનતંત્ર ત્યાં પહોંચી શક્યુ નથી.

ફેફસામાંપાણી ભરાવાથી સિંહનું મોત-એસીએફ મુની

ગીરપૂર્વનીસાવરકુંડલા રેન્જમાં શેત્રુજીના પુરમાં તણાયેલી સિંહણ પીપરડી ગામેથી ઝડપી તો લેવાઇ પરંતુ તેને બચાવી શકાય નહી. એસીએફ મુનીએ જણાવ્યુ હતું કે સિંહણના ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતું અને તેના કારણે તેનું મોત થયુ હતું.

No comments: