Tuesday, June 30, 2015

ચોમાસામાં સર્પદંશનાં બનાવો વધુ બને છે.

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2015, 04:45 AM IST
સર્પદંશમૃત્યુ ઉપજાવનારી કે મૃત્યુનો ડર પેદા કરનારી ભયંકર કટોકટીની પરિસ્થિતી છે. ભારતમાં દર વર્ષે 75,000 લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે. દર્દીને દંશની શંકા,ખરેખર દંશ થયો, દંશ સાથે સોજો આવવો,દંશ સાથે સોજો અને રક્તસ્ત્રાવ થવો અથવા આંખના પોપચા પડવા કે લકવાની અસર થવી જવી પરિસ્થિતીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં સર્પદંશનાં બનાવ વધુ બનતા હોય છે. સાથે ચોમાસામાં પણ સર્પ બહાર નિકળવાનાં બનાવ વધુ બને છે. કારણ કે સર્પનાં આશ્ય સ્થાનમાં પાણી ભરતા સર્પ બહાર નિકળતા હોય છે. ઘણી વખત સર્પને છંછેડવામાં અથવા તો સર્પની નજીક જવાથી પોતાનો ખોરાક સમજી સર્પદંશ દેતા હોય છે.

ચોમાસામાં પાણીમાં સર્પ તણાઇને આવતા હોય છે. પાણીમાં ચાલવાથી પણ ઘણી વખત સર્પ કરડા હોય છે. 108નાં પ્રોગ્રમ કો-અોડીનેટર કાર્તિકભાઇએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ માસમાં સર્પદંશનાં 31 કેસ બન્યા છે.

જેને 108ની મદદથી હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે રાજયમાં પાંચ માસમાં 1224 સર્પદંશની ઘટના બની છે.રાજયમાં દર મહિને સરેરાશ 244 સર્પદંશની ઘટના બને છે.

સર્પ કરડે ત્યારે શુ કરવુ જોઇએ |108 જેજાણ કરી અથવા નજીકનાં હોસ્પીટલનો સર્પક કરો, દર્દીને શ્વાસ આપો, દર્દીને ચતા સુવડાવી રાખો, સર્પદંશમાં દર્દીનાં હાથ કે પગ સ્થિર રખાવા, સર્પદંશની ઉપર પાટા કે કપડાથી બાંધી રાખો પણ લોહી અટકે તે જોવુ, ઘર ગથ્થુ સારવારથી કોઇ ફાયદો થતો નથી, સર્પદંશ જયાં થયો ત્યાંથી દૂર દર્દીને લઇ જાવ, દંશ વાળા ભાગને હ્દયનાં સ્થાનથી નીચે રાખો

સાપકરડે તો શુ કરવુ જોઇએ ?|સર્પદંશ ઉપરચાકુંથી ચીરો કરવો નહી, સર્પદંશમાંથી ઝેરચુસવાનો પ્રયત્ન કરવો નહી, બરફ કે ઠંડક ઉપજાવનારા પદાર્થોનો ઉપયોગ કરવો નહી, ઇલેકટ્રકી કરંટ આપવા નહી, સાપને મારવા કે પકડી પાડવામાં સયમ બગાડશો નહી.

No comments: