Tuesday, June 30, 2015

વરસાદની તારાજી: શેત્રુંજી નદીના કાંઠે વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા.

વરસાદની તારાજી:  શેત્રુંજી નદીના કાંઠે વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા
  • Bhaskar News, Amreli
  • Jun 29, 2015, 10:25 AM IST
- વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા
- ઘોબા નજીકથી સિંહણ, માઇધાર નજીકથી સિંહનો મૃતદેહ મળ્યો
 
વરસાદની તારાજી:  શેત્રુંજી નદીના કાંઠે વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા
અમરેલી: આજે સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામની સીમમા શેત્રુંજી નદીના કાંઠે એક સિંહણનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને બાતમી મળતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. આ સિંહણના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામા આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જ તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો.આ ઉપરાંત પાલિતાણા તાલુકાના માયધારના શેત્રુંજય કાંઠેથી ત્યાં વધુ એક સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં નવ સિંહોના મોત થયાનુ બહાર આવ્યું હતુ. જયારે આજે વધુ એક સિંહ અને અેક સિંહણનો મૃતદેહ મળતા જળ હોનારતમાં સિંહોના મોતની સંખ્યા 11 પર પહોંચી છે.

No comments: