Tuesday, June 30, 2015

જૂનાગઢની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સેવા કરે છે


DivyaBhaskar News Network

Jun 22, 2015, 05:40 AM IST
જૂનાગઢમાંમુંગા-અબોલ પશુ-પક્ષીની સારવાર જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ નિ:શુલ્ક કરે છે. હરતા ફરતા દવાખાનાએ ઘણા પશુ-પક્ષીઓને તુરંત સારવાર કરી જીવ બચાવ્યા છે. જેમાં ટ્રેન અકસ્માતમાં ગાંધીગ્રામ સરકારી ગોડાઉન ફાટક પાસે ખૂંટીયાને લાગતા સારવાર દરમિયાન વીસ ટાંકા લઈ સારવાર કરી હતી. તેમજ થોડા સમય પહેલાં ટ્રક ચાલકે ઝાંઝરડા ચોકડી પાસે એક ગધેડીને ઠોકરે લઈ ઈજા પહોંચાડી હતી. તેમ પ્રમુખ કેતન દોશી, કેતન વસાણી અને શૈલેષ કોઠારીએ જણાવ્યું છે.

No comments: