Tuesday, June 30, 2015

સિંહ ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને આજે સન્માનિત કરાશે.

સિંહ ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને આજે સન્માનિત કરાશે
DivyaBhaskar News Network
Jun 09, 2015, 07:16 AM IST
સિંહ ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને આજે સન્માનિત કરાશે
લીલીયામાઆવેલ સુપ્રસિધ્ધ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ તેમજ સામાજીક વનિકરણ વિભાગના સંયુકત ઉપક્રમે અને પદ્મશ્રી તારક મહેતાની ઉપસ્થિતીમાં વનકર્મીઓનો સન્માન સમારોહ યોજાશે.

અમરેલી તાબાના લીલીયામા બૃહદગીરી વિસ્તારમાં પણ મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં હોય અહી પણ વનવિભાગે ગણતરીની કામગીરી કરી હતી. ત્યારે અહીના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ અને સામાજીક વનિકરણ તેમજ હાસ્ય લેખક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીવી સિરીયલથી જાણીતા બનેલા તારક મહેતાની ઉપસ્થિતીમાં અહી વનકર્મીઓને સન્માનિત કરવામા આવશે. તા. 9 ને મંગળવારે કાર્યક્રમ યોજાશે. સિંહ ગણતરી 2015મા લીલીયા બૃહદગીર વિસ્તારમાં સફળ કામગીરી કરનાર તેમજ સ્વૈચ્છિક રીતે જોડાનાર સ્વયં સેવકોનુ સન્માન કરવામા આવશે. અહી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાશે. જેમાં જિલ્લા વન અધિકારી ગુર્જર, ટ્રસ્ટના મધુભાઇ સવાણી, વિશાલભાઇ શેઠ, રાજન જોષી સહિત વનકર્મીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમ ફોરેસ્ટર બી.એમ.રાઠોડે જણાવ્યું હતુ.

No comments: