Thursday, June 23, 2011

સાવરકુંડલા નજીક સાવજોએ કર્યું 5 ઘેટાનું મારણ.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:31 AM [IST](19/06/2011)
- મધરાત્રે ભરવાડની ઝોકમાં ઘુસી પેટની ભૂખ ભાંગી : વનતંત્ર દોડ્યું
સાવરકુંડલા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો માલધારીઓના ઉપયોગી માલઢોરનું મારણ કરી હાહાકાર મચાવી રહ્યા છે. ગઇરાત્રે નાના જીંજુડાની સીમમાં સાવજોએ એક ભરવાડની ઝોકમાં હુમલો કરી પાંચ ઘેંટાનો શિકાર કરતા માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ગીર જંગલ બહાર વસતા સાવજોએ સાવરકુંડલા તાલુકાને પોતાનુ રહેઠાણ બનાવી લીધુ છે. સાવરકુંડલાના અનેક ગામડાઓના માલધારીઓ સાવજોથી ફફડી રહ્યા છે. કારણ કે આ સાવજો દ્વારા પોતાની ભુખ ભાંગવા માલધારીઓના માલઢોરનું મારણ કરવામાં આવે છે. ખાસ કરીને ઉપયોગી અને દુધાળા પશુઓના મારણથી માલધારીઓને મોટી આર્થીક નુકશાની સહન કરવી પડે છે.
ગઇકાલે સાવરકુંડલા તાલુકાના નાના ઝીંજુડા ગામે સાવજોના ટોળાએ હાહાકાર મચાવ્યો હતો. રાત્રે અગીયારેક વાગ્યાના સુમારે નાના ઝીંજુડા ગામના ભરવાડ જસાભાઇની ગણેશગઢ તરફથી સીમમાં આવેલી ઝોકમાં આ સાવજો ત્રાટક્યા હતા. સાવજોએ ઝોકમાં ૫ ઘેંટાનું મારણ કર્યું હતુ.

No comments: