Friday, June 24, 2011

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો.

- આબોહવાના અંતિમોની આગાહી થઈ શકતી નથી 'સાહેલ'માં પડેલ ભયંકર દુષ્કાળ, પાકિસ્તાનમાં આવેલ વિનાશક પૂર, ઓસ્ટ્રેલિયામાં લાગેલી ઘાસમાંથી સર્જાતો દવ ફરી ક્યારે આવશે તે જુગારખાનામાં પાસા નાખવા જેવું છે
ગ્લોબલ વૉર્મિગના કારણે દુનિયાના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે અને તેનાથી પૃથ્વીની આબોહવામાં બદલાવ આવી રહ્યો છે તે એક મોટી સમસ્યા છે પરંતુ ગરમીના મોજા અવારનવાર આવે છે તેનાથી તાપમાન અંતિમ સ્થિતિએ પહોંચી જાય છે તે બીજી વાત છે. ગરમીનું મોજું આવવાથી તાપમાન અંતિમ સ્થિતિઓ પહોંચી જાય છેતે વધારે જોખમી છે. ખાસ કરીને ઉષ્ણ કટિબંધથી વિસ્તારોમાં પહાડો પર વસતા જીવોથી અનેક જાતિઓ પર ખતરો મંડાઈ રહ્યો છે.

વિષુવૃત્તની ઉત્તરે અને દક્ષિણે સાડા ત્રેવીસ અંશ અક્ષાંસો વચ્ચેનો પ્રદેશ ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહે છે. આ વિસ્તારમાં વરસાદી જંગલોમાં પહાડો પર જીવતા અનેક જાતિના પ્રાણીઓ વસે છે. ગરમીના મોજા વચ્ચે આવતા લેપના અસ્તિત્વ પર ખતરો ઉભો થાય છે. આ વિસ્તારોમાં વસતા અનેકવિધ પક્ષીઓ, આંચળવાળા પ્રાણીઓ અને દેડકાઓની અનેક જાતિઓ કે જેઓ ઠંડા, વાદળછાયા, પર્વતની ટોચ પરના જંગલોમાં વસવાટ કરવા ટેવાયેલા છે તેમના પર જોખમ ઉભું થાય છે.

દરમ્યાન ગરમ, વરાળયુક્ત નીચાણવાળા પ્રદેશોમાં પ્રાણીઓ અને વનસ્પતિની એક જાતિઓ તેમની મહત્તમ ઉષ્મીય સીમા પર જીવી રહી છે. હવે વધારે ગરમી તે સહન કરી શકે તેમ નથી. અમેરિકામાં આવેલ યુનિવર્સિટી ઓફ કનેક્ટીકટના રોબર્ટ કોલવેલના કહેવા પ્રમાણે વિરાટ નદીઓ એમેઝોન અને કોંગોના તટપ્રદેશમાં વાતાવરણના તાપમાન તીક્ષ્ણાગ્ર વધારો પાયમાલી સર્જે તેમ છે. આ વિસ્તારમાં નજીકમાં નજીકના પહાડો હજારો કિલોમીટર દૂર છે તેથી ગરમીનો તણાવ અનુભવતી જાતિઓ નાસીને પણ પણ ક્યાંય જવા પણું છે નહીં.
 માત્ર ગરમીના મોજા જ ચિંતાનો વિષય નથી આબોહવાના મોડેલો સૂચવે છે કે મૂશળધાર વરસાદના બનાવો અને પુર હોનારતો પણ વધવાની સંભાવના છે. ઉષ્ણ વાતાવરણ વધારે ભેજ સંગ્રહે છે. તે ભારે વરસાદને ઇંધણનો વધારે પુરવઠો પુરો પાડે છે તેમ કહી શકાય.
 અલબત્ત મુશળધાર વરસાદ વન્યજીવો માટે એકલું એટલું મોટું જોખમ નથી પરંતુ ગરમ વાતાવરણના કારણે થતી અતિવૃષ્ટિ દુષ્કાળ લાવે છે. તે બન્નેની જુગલબંધી વન્ય જીવોનું જીવન દોહ્યલું કરી દે છે.
 ઇ.સ. ૨૦૦૫માં એમેઝોનના તટ પ્રદેશમાં નવા જ પ્રકારનો દુષ્કાળ ત્રાટક્યો હતો સામાન્ય રીતે તે વિસ્તારમાં દુષ્કાળ પડવાનું કારણ પ્રશાંત મહાસાગરમાં અલ નીનો નામના વિશાળ પાયે થતી ઘટનાઓ છે. તે ઘટનાઓ ઘટે છે ત્યારે એમેઝોનના તટપ્રદેશના વધારે સૂકા અને પૂર્વ દક્ષિણ ભાગોમાં વરસાદની તીવ્ર અછત પડે છે. ત્યાં વરસાદ વરસતો નથી. લોકો વરસાદ માટે વલખા મારે છે. પરંતુ ૨૦૦૫ની ઘટના જુદી હતી. તેની પાછળનું કારણ એટલાંટિક મહાસાગરની સપાટીમાં અસાધારણ રીતે થયેલો વધારો હતો. તેણે પશ્ચિમ એમેઝોનના વિસ્તારો પર સખત અસર કરી. ખાસ કરીને પેરૃ અને પશ્ચિમ બ્રાઝીલમાં ભયંકર દુષ્કાળ ફરી વળ્યો. આ વિસ્તારો સૌથી વધારે ભીનાશવાળા અને તટપ્રદેશોનો સૌથી વિશેષ જીવોની વિવિધ જાતિઓના સમૃદ્ધ વિસ્તાર છે. તેમાં થોડી જાતિઓ જ દુષ્કાળની સામે ટકી શકે તેવી છે. વરસાદી જંગલોના અનેક વૃક્ષો નાશ પામ્યા. વૃક્ષોની કેટલી જાતિઓ સમૂળગી નાશ પામી તેની નોંધ નથી પરંતુ મૃત્યુ પામતા વૃક્ષોએ વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડયો. ૨૦૦૫ના આ દુષ્કાળે આબોહવાના તજજ્ઞાોને પણ અવાચક કરી દીધા.
 એક અભૂતપૂર્વ પરિસ્થિતિ કે જેણે ભયંકર દુષ્કાળ ફેલાવ્યો તેણે જ કેટરિના નામાના હરિકેનનું સર્જન કરેલું. આપણે જાણીએ છીએ કે હરિકેન એક પ્રકારનું વાવાઝોડું છે. ઉપરોક્ત હરિકેનને કેટરિના એવું નામ આપવામાં આવેલું. કેટરિના હરિકેન મેક્સિકોના અખાતમાં મોટી પાયમાલી સર્જી હતી. હરિકેન મેક્સિકોના અખાતમાં મોટી પાયમાલી સર્જી હતી. હરિકેનો ચક્રવાતો અને ટાઇફૂનો દર વર્ષે પૃથ્વીના વિશાળ વિસ્તારોમાં ખાનાખરાબી સર્જે છે. કેટલાક આબોહવા વૈજ્ઞાાનિકોના મતે પૃથ્વી જેમ વધારે ગરમ થશે તેમ આ તોફાનોની તીવ્રતા વધશે. હરિકેનો, ચક્રવાતો અને ટાઇફૂનો હવામાનમાં ઉદ્ભવતા વિવિધ જબરજસ્ત તોફાનોના નામ છે.
 મૂળભૂત રીતે ચક્રવાતો તો ગરમીને વિખેરી નાખતા રાક્ષસી યંત્રો છે. આવા તોફાનોના માપ હોય છે. હરિકેનની તાકાતનું માપ આપતા સ્કેલને સાફિર સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલ છે. તેમનું મહત્તમ માપ પાંચ છે. આ સ્કેલ પર જેનું ૪થી ૫ માપ હોય તેવા 'દરિયાઈ તોફાનને 'મેગાસ્ટોર્મ' કહે છે એટલાન્ટિક મહાસાગરમાં આ મેગા સ્ટોર્મ એટલે કે મહાઝંઝાવાત છેલ્લી સદીમાં વારંવાર આવતા જોવા મળ્યા છે એટલ કે તેની ફ્રીકવન્સી વધી છ તેની સાથે સાથે દરિયાની સપાટીથી તાપમાન પણ વધતુ માલુમ પડયું છે. બીજી રીતે કહીએ તો એટલાન્ટિક મહાસાગરમાં આવતા એ મેગા સ્ટોર્સ (મહા ઝંઝાવાત) અને તેની સપાટીના તાપમાનમાં વઘારાની જુગલબંધી જોવા મળી છે.
 આવા મહા ઝંઝાવાતોએ કાંઠા પરના ટાપુઓ પરના જંગલોને ઉખેડીને મેદાનો કરી દીધા છે અને અન્ય પરવાળાના ટાપુઓ જેવા આવાસોને ગંભીર રીતે નુકસાન પહોંચાડયું છે વાવાઝોડા અને તોફાનોથી થતા નુકસાન પારિસ્થિતિકી તંત્રો (ઇકો સિસ્ટમ) માટે નવા નથી કુદરતમાં આથી વિસર્જન અને સર્જનની પ્રક્રિયાની આવન-જાવન થતી હોય છે થોડા સમયમાં પરિસ્થિતિ થાળે પડી જતી હોય છે. અન તંત્ર બેઠું થઈ જાય છે. જંગલોમાં અનેક વૃક્ષો ઢળી પડયા પછી કેટલાક વર્ષમાં વળી પાછા વૃક્ષો ઉગીને મોટા થઈ જતા હોય છે. પશુ પક્ષીઓના કુદરતી આવાસો પણ રચાય જતા હોય છે પરંતુ મહાઝંઝાવાતો ઉપરાઉપરી ચાલ્યા કરે તો પારિસ્થિતિકી તંત્ર (ઇકો સિસ્ટમ)ને પોતાને પુનઃસ્થાપિત થવાનો બહુ ઓછો સમય મળે છે હજુ તો પરિસ્થિતિ ફરી સમી-નમી થાય ત્યાં બીજું તોફાન ખેદાન મેદાન કરી નાખે છે જેથી વેરવિખેર થઈ ગયેલા આવાસો જંગલી ઘાસ અને જંગલી પ્રાણીઓના આક્રમણો સહજ થઈ જાય છે. જંગલમાં લાગતા દવ પણ ત્યાં સહજતાથી લાગી શકે છે.
 અહીં મોટો પ્રશ્ન સામે એ આવીને ઉભો રહે છે કે હવામાનની અંતિમ સ્થિતિ સામે પૃથ્વી પરથી પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિ કેવો પ્રતિકાર આપશે ? આ પ્રશ્નનો ઉત્તર આપવો આમ તો મુશ્કેલ છે જો કે છેલ્લામાં છેલ્લા સંશોધનો સૂચવે છે કે આવી ઘટનાઓ જીવોની કઈ જાતિઓ ક્યાં વસવાટ કરશે તે નિશ્ચિત કરવામાં ચાવીરૃપ ભાગ ભજવી રહી જ છે. દાખલા તરીકે પક્ષીઓની ઘણી જાતિઓ જે ભૌગોલિક વિસ્તારમાં રહે છે તે તેમની અત્યંત ઉાંચા તાપમાનની પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા બતાવે છે. આ વનસ્પતિ માટે પણ એટલું સાચુ છે આપણે જાણીએ છીએ કે વિષુવૃત્તના વિસ્તારમાં વસતા પક્ષીઓ અને ત્યાં થતી વનસ્પતિ ધુ્રવ પ્રદેશોના વિસ્તારમાં વસતા પક્ષીઓ અને વનસ્પતિઓની જાતિઓ માટે તેમની હવામાનના અંતિમો સહન કરવાની ક્ષમતા અનુલક્ષીને તેમના વસવાટના ભૌગોલિક વિસ્તારો નિશ્ચિત થઈ ગયા છે. તે પૈકી કેટલાક તેમના ભૌગોલિક વિસ્તારની સરહદ નજીક વસતા હોય છે. તેમના માટે હંમેશા જોખમ તોળાયેલું રહે છે. પર્યાવરણીય દુષ્કાળ પડે, ગરમીના મોજા આવે અથવા ઠંડીનો ઝપાટો આવે ત્યારે તે સામુહિક મૃત્યુ પામતા હોય છે. ૨૦૦૨ના જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ન્યુસાઉથ વેલ્સમા તાપમાન ૪૩ અંશ સેલ્સિયસ થઈ જતા ફ્લાઇંગ ફોક્સ (ઉડતી લોમડી) જાતની વડવાગોળો બપોર પછી ઝાડ પરથી ટપોટપ પડીને ૨૦૦૦ની સંખ્યામાં મોતને ભેટી હતી. આ તો વસાહતની ઘટનાની વાત છે પરંતુ અનેક વસાહતોની ગણત્રી માંડીએ તો હજારો વડવાગોળો મોતને ભેટી હતી. પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિના ભૌગોલિક વિસ્તારોના છેડે વારંવાર આવા ફેરફારો થતા રહે તો તેમન ભૌગોલિક વિસ્તારો ટૂંકા થતા રહે અને બિલકુલ નાબૂદ થઈ જાય છે. તેમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે 'સારા જહાં હમારા, રહને કો ઘર નહીં' જેવી સ્થિતિ થાય.
હવામાનના અંતિમોની સંભવતઃ સૌથી ડરામણી ચીજ હોય તો તે મૂળભૂત રીતે અણધાર્યાપણું છે તેની આગાહી થઈ શકતી નથી આપણને માત્ર લગભગ નિશ્ચિત છીએ કે હવામાનમાં અંતિમ સ્થિતિનું નિર્માણ વધારે વારંવાર થશ તેનો અર્થ એ નથી કે આપણે તે ક્યારે અને ક્યાં થશે તેની આગાહી કરી શકીએ. વૈશ્વિક સ્તરના કોમ્પ્યુટર મોડેલ પરથી સ્થાનિક પારિસ્થિતિકીના તારો કાઢવાની અક્ષમતાનો અર્થ એ થાય કે આપણે અડધા અંધ હોઈએ તેમ ઉડ્ડયન કરી રહ્યા છીએ જો તમે હવે પછીનો બીજો ભયંકર દુષ્કાળ ક્યારે આવશે, પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતમાં આવેલ ભયાનક પૂર હવે પછી ક્યારે આવશે, ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ ફરી ક્યારેલાગશે તેની આગાહી કરવી તે જુાગારખાનામાં દઈ પાસા ફેંકવા જેવી વાત છે.

તાપમાનના અંતિમો, પુર હોનારતો, વાવાઝોડા, જંગલમાં દવ લાગવા, સાંબેલાધારે વરસાદ થવો એ બધા હવામાનના અંતિમો છે. તેને હીટ શોક (ગરમી આઘાત) કહે છે. આપણે તેને અટકાવવા શું કરી શકીએ ? સૌથી પહેલા તો આપણે ગ્લોબલ વૉર્મંગના ગુનેગાર એવા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવો જોઈએ. એક તજજ્ઞાના મતે આપણે ઉપરોક્ત વાયુઓના ઉત્સર્જનને આડેધડ વઘવા દઈશું તો આબોહવાના બદલાવ જે પ્રમાણમાં અને જે ઝડપે આવશે તેમાં આપણે તણાઈ જઈશું અથવા તો કહી શકાય કે આપણે ખૂંપી જઈશું.

પ્રાકૃતિક આરક્ષિત વિસ્તારોને વધારવાના પ્રયત્નો વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુનું ઝડપથી વધારો ઘટાડો ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તારોના જંગલો જમીનદોસ્ત થતા વાતાવરણમાં દર વર્ષે પાંચ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઠલવાય છે. તે વૈશ્વિક ઉત્સર્જનના ૧૭ ટકા થાય. કુદરતી આવાસોની જાળવણી માત્ર પારિસ્થિતિકી તંત્ર (ઇકો સિસ્ટમ)ને વધારે સ્થિતિસ્થાપક બનાવશે એટલું નહીં એવી રીતે આબોહવાના બદલાવનો સામનો કરશે.

તળિયાની રેખા એ છે કે ગ્લોબલ વોર્મિંગ વન્યજીવો માટે વધારે ભયાનક છે અને વધુ અણધારેલ છે. માનવીઓ તો પોતાની સુરક્ષા માટે વ્યવસ્થા ઉભી કરી શકશે પરન્તુ વન્યજીવો માટ આરક્ષિત પ્રાકૃતિક વિસ્તારો ઉભા નહીં કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા પેલી વડવાગોળની જેમ ટપોટપ મૃત્યુ પામવા સિવાય કોઈ રસ્તો નહીં બચે.

- આબોહવા બદલાવમાં આવતા ગરમીના મોજાં સામે માનવીઓ તો ગમે તેમ બચી જાય પરંતુ વન્યજીવોનું શું ?
અતિશય ગરમી, અતિશય ઠંડી, દુષ્કાળો, પુર હોનારત ભયંકર વાવાઝોડા વગરે આબોહવાના અંતિમો છે આવી પરિસ્થિતિમાં વન્યજીવોને ક્યાં જવું તે સૂઝતું નથી ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડો, પ્રાકૃતિક આરક્ષિત વિસ્તારો રચો, આરક્ષિત સ્થાનોમાં વિક્ષેપ ઘટાડો
Source: http://www.gujaratsamachar.com/20110624/purti/science/sci2.html

No comments: