Thursday, June 9, 2011

પર્યાવરણને ધબકતું રાખવા બર્ડ કન્ઝરવેશન સોસા.નો અનોખો પ્રયાસ.

Source: Bhaskar News, Porbandar   |   Last Updated 6:28 AM [IST](09/06/2011)
વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સાચા અર્થમાં પર્યાવરણ બચાવવા યુવાનોને માર્ગદર્શનનો કાર્યક્રમ દત્તસાંઈ શૈક્ષણિક સંકુલ પોરબંદરમાં યોજાયેલ., જેમાં વિદ્યાર્થીઓ, શોક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વ્રુક્ષારોપણ કરેલ, વેસ્ટમાંથી બેસ્ટ ચકલીના માળાઓ બનાવી તેમજ પક્ષીઓને પાણી પીવાના કુંડાઓ પોરબંદરમાં ઘરે-ઘરે જઈ પર્યાવરણને ધબકતું રાખવા શાસ્ત્રી અરૂણાબેનના ઘરેથી જ ચકલીના માળાનું તથા પાણીના કુંડાનું સ્થાપન કરી લોકોને જાગ્રુત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો.
આ પ્રયાસમાં બર્ડ કન્ઝર્વેશન સોસા. પોરબંદરના પ્રમુખ ભરતભાઈ રૂધાણી, ઉમિયાશંકર જોષી, બેસ્ટ રાષ્ટ્રીય એવોર્ડઝ ટીચર વજુભાઈ દાવડા સાહેબ, તથા અન્યો હાજર રહેલ. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પર્યાવરણ બચવવા, વ્રુક્ષો વાવવા, જતન કરવું, પ્લાસ્ટીક કચરો બાળવો નહિ તથા ફેંકી ન દેતા રીસાયકલ કરતા ઉદ્યોગોને આપી પર્યાવરણ બચાવવું, વ્રુક્ષ બચાવવાનો સંકલ્પ કર્યો. લોક જાગ્રુતિના અભિયાન રૂપે લોકોને સમજાવી ચકલીના માળા સ્થાપન કરી પ્રાયોગિક કાર્ય પુરૂ પાડવા પ્રયત્નથી લોકસહકાર પણ સારો મળેલ. આમ, યુવાનો અને વિદ્યાર્થીઓ જો અભિયાન ઉપાડી લે તો પર્યવરણના ખરા અર્થમાં વારસદારો બની રહેશે. વિશ્વ બંધુત્વની ભાવના સાથે વિશ્વનું પર્યાવરણ બચવવા સૌ પ્રયત્ન કરી બીજાને પ્રેરણા આપી કરાવે તેવો બર્ડ કંઝર્વેશન સોસ. પોરબંદર દ્વારા સ્તુત્ય પ્રયાસ રહેલ

No comments: