Wednesday, June 29, 2011

ઉના નજીક સીમમાં સિંહ પરિવારે બે ઘેંટાનું મારણ કર્યું.

  Source: Bhaskar News, Una   |   Last Updated 12:16 AM [IST](28/06/2011)
- સમગ્ર પંથકમાં સિંહદર્શનની રોજીંદી બનતી ઘટના
ઉનાથી માત્ર ૯ કિ.મી.નાં અંતરે આવેલા ઝુડવડલી ગામમાં બે માસ પહેલાં એક સિંહણ જાણે વસવાટ કરવાના ઇરાદે આવી પહોંચી હોય તેમ ગામનાં સરપંચની વાડીમાં દિવસો સુધી ધામા નાંખ્યા બાદ વનવિભાગે તેને પાંજરામાં પુરી જંગલમાં મુક્ત કરી દીધી હતી. ત્યાં ફરી સિંહ પરિવારે ગામની સીમમાં ધામા નાંખતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

ગામની સીમમાં નનુભાઇ રબારી નિવાસ કરે છે. અને ઘેંટા પાળી જીવન નિવૉહ ચલાવે છે. આજે વહેલી સવારના એક િસંહણ તેના ચાર બચ્ચાં સાથે શિકારની શોધમાં આવી ચઢી વાડામાં બાંધેલા ઘેંટા પર હુમલો કરી બે ઘેંટાને મોતને ઘાટ ઉતારી નિરાંતે મજિબાની માણી હતી. વહેલી સવારે સિંહ પરિવાર આવી ચઢયો ત્યારે નાનુભાઇની અચાનક આંખ ઉઘડી જતાં સિંહણ એક ઘંેટાને પોતાના જડબામાં પકડી સરપંચની વાડીમાં ઢસડી જતી જોવા મળતાં ગભરાઇ ગયા હતાં. આ બનાવ અંગે સરપંચ કાંતીભાઇ ઉકાણીએ વન વિભાગને જાણ કરતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી સિંહણનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ઊના પંથકમાં સિંહ દર્શન રોજીંદા જોવા મળી રહ્યા છે.
દીપડાએ વાછરડીનો શિકાર કર્યો –
તાલાલા : તાલાલાનાં આંકોલવાડીમાં વંડી ટપી દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. ડાંગાવાડી વિસ્તારમાં રહેતા પટેલ ફુલાભાઇ ઉકાભાઇ મકાણીનાં મકાનની આઠ ફુટ ઉંચી કાંટાળી વંડી ટપી ફિળયામાં બાંધેલી વાછરડીનું દીપડો મારણ કરી જતાં લોકોમાં ફફડાટ છવાયો છે. આ વિસ્તાર ગામનાં છેવાડાનાં ભાગે આવેલો હોવાથી વનવિભાગ દ્વારા રાત્રી પેટ્રોલીંગ ગોઠવવાની ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.

2 comments:

rashmi said...

Guess its very much like lions to kill animals for survival ...we r approaching forest land for cultivation and then blaming these carnivores of eating domesticated animals ... not much of a news here :)

rashmi said...

Guess its very much like lions to kill animals for survival ...we r approaching forest land for cultivation and then blaming these carnivores of eating domesticated animals ... not much of a news here :)