Wednesday, June 29, 2011

વિસાવદર પાસે બાઈક અડફેટે માદા ઝરખનું મોત.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:55 AM [IST](28/06/2011)
 વિસાવદરથી ચાર કિ.મી.નાં અંતરે પ્રેમપરાના માર્ગ પર રવિવારનાં રાત્રીનાં સમયે બાઈક અડફેટે માદા ઝરખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલકને પણ પગના ભાગે ઇજા પહોંચી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં પ્રેમપરાનાં રહીશ અને નિવૃત્ત આચાર્ય પ્રવિણભાઈ ભટ્ટ રવિવારનાં રાત્રીનાં ૯:૩૦ વાગ્યાની આસપાસ પોતાની બાઈક પર વિસાવદરથી પ્રેમપરા જઈ રહ્યા હતાં ત્યારે રોડ પર અચાનક એક માદા ઝરખ દોડી આવતા અને બાઈક સાથે અથડાય જતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ માદા ઝરખની ઉંમર આશરે પાંચ વર્ષની હતી.
પ્રવિણભાઈ પણ બાઈક પરથી ફેંકાય જતાં તેમને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતાં. આ બનાવ અંગે આરએફઓ એન.એમ.જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ઝરખ એ અનુસુચિ-૩નું વન્યપ્રાણી છે. અને મૃત ઝરખના પીએમ રીપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરાશે.

1 comment:

rashmi said...

Mostly these animals r shy and very aglie ..dont understand how this happened ??