Thursday, June 9, 2011

દીપડાની વસ્તી ગણતરીમાં સાચી વિગતો છૂપાવાઈ !

તાલાલા : ૮, જૂન
તાલાલા પંથકમાં નોંધપાત્ર વધારો થયો છે

એંસી દીપડાની વસ્તી વધી હોવાની જાહેરાત વાહિયાત
ગીર અભયારણ્ય સહિત રાજયમાં થયેલ દીપડાની વસ્તી ગણતરી પૂરી થયા બાદ જંગલખાતાએ દીપડાની સંખ્યાના જાહેર કરેલ આંકડામાં જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં એસી દીપડાની વસ્તી વધી હોવાનું જણાવેલ છે ખરેખર સાચા આંકડા નથી જંગલખાતુ દીપડાની સાચી વસ્તીની વિગતો છૂપાવી રહી હોવાનો ગીર વિસ્તારમાં આક્ષેપ થઈ રહ્યો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે તાલાલા, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જ ચારસોથી વધુ દીપડા માનવ વસ્તી આજુબાજુ રહે છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દીપડાની વસ્તીમાં એસીનો જે વધારો બતાવ્યો છે તેનાથી વધુ દીપડાની વસ્તી એકલા તાલાલા તાલુકામાં વધી હોવાનું કહેવાય છે. આ ત્રણ તાલુકામાં કેસર કેરીના બગીચા તથા શેરડીના વાડ વચ્ચે આરામથી રહેવા માટે અનુકુળ જગ્યા મળતી હોય ત્રણે તાલુકામાં એક અંદાજ મુજબ ચારસોથી વધુ દીપડા વસવાટ કરી રહ્યાં છે. તાલાલા પંથક સહિત આસપાસના તાલુકામાં માનવ વસ્તી વચ્ચે દીપડાનો વસવાટ વધી ગયો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે દીપડાની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે તેને અંકુુુશમાં લેવા જંગલખાતુ નિષ્ફળ ગયું છે. માનવ વસ્તી પર દીપડાના હુમલાઓ વધી ગયા છે તેને પણ અટકાવી શકાયા નથી. જંગલખાતુ હુમલા બંધ કરાવવા નિષ્ફળ જતાં દીપડાની વસ્તીની સાચી વિગતો જાહેર કરતું નથી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297122

No comments: