Wednesday, June 29, 2011

ખાંભા નજીક બે ગાય અને એક વાછરડીને ફાડી ખાતા સાવજો.

  Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:38 AM [IST](27/06/2011
- ગાયોનું ધણ સાજે પરત ફરતુ હતુ ત્યારે સાવજો ત્રાટક્યા
ગીર કાંઠાના ખાંભા તાલુકામાં વસતા સાવજે માલધારીઓને ઉપયોગી પશુને મારી નાંખી કાળો કેર વર્તાવી રહ્યાં છે. ગઈ સાંજે બે સાવજોએ ખાંભાનાં નિંગાળા ગામની સીમમાં ગાયોનું ધણ ગામમાં પરત ફરતું હતું, ત્યારે બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું હતું.
અમરેલી જિલ્લાના મોટા ભાગનાં તાલુકામાં સાવજો દૂધાળા પશુઓનાં મારણ કરી પોતાની રાજાશાહીની આણ વર્તાવી રહ્યાં છે. ખાસ કરીને ગીર કાંઠાના ખાંભા તાલુકામાં સાવજોની આ રંજાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વધતી જાય છે. પેટની ભૂખ ભાંગવા આ સાવજો ગમે તેવા શિકારને મારી નાંખે છે. ગઈસાંજે ખાંભા તાલુકાના નિંગાળા ગામે બે સાવજોએ ત્રણ પશુનાં મારણ કર્યા હતાં. સાંજે મનુભાઈ નરશીભાઈ વઘાછીયાના માલઢોર સીમમાંથી પરત ગામમાં જતાં હતાં. ત્યારે સાંકડા નેશમાં એક સાવજે હુમલો કરી એક ગાય અને એક વાછરડીને ફાડી ખાદ્યી હતી. જ્યારે નિંગાળાની સીમમાં જ આજ સમયે સોંડાવાળી ધાર પર ગોબરભાઈ મેયાભાઈ ભરવાડનું ગાયોનું ધણ પરત આવતું હતું. ત્યારે એક સાવજે એક ગાયને ફાડી ખાદ્યી હતી. નિંગાળામાં થોડા સમય અગાઉ પણ સાવજોએ ગામમાં ઘુસી ચાર ગાયનું મારણ કર્યું હતું. સાવજોના આ આંતક સામે માલધારીઓમાં કચવાટ છે.

No comments: