Thursday, June 9, 2011

સિંહણનો મૃતદેહ મળ્યો, સર્પદંશથી મોતની શંકા.

અમરેલી તા.૭
સાવરકુંડલા તાલુકાના સુરજવડી ડેમ નજીકનાં જાબાળ પાસેથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગે સ્થળ પર જઈ તપાસ કરતા સિંહણનંુ મોત સર્પદંશથી થયુ હોવાનુ મનાઈ છે.
મીતીયાળા રેન્જમાં જાબાળ અને આંબરડી વચ્ચેના તળી વિસ્તારમાં જાંબાળના માજી સરપંચ પ્રતાપભાઈ ખુમાણના ખેતર પાસેના નેરામાંથી આજે સવારે એક સિંહણનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા સાવરકુંડલા આર.એફ.ઓ ધાંધીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા આશરે ત્રણ વર્ષની ઉમરની સિંહણનો મૃતદેહ પડયો હતો. નિરીક્ષણ કરતા તેની આંખો ઉચે ચડી ગઈ હતી. સિંહણનુ સર્પદંશથી મોત થયાનુ વનવિભાગનું અનુમાન છે. તેમ, છતા વધુ તપાસ માટે સિંહણના મૃતદેહને સાસણ પીએમ માટે ખસેડયો છે. તેના વિસેરા જૂનાગઢ પરિક્ષણ માટે મોકલાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296840

No comments: