Friday, June 24, 2011

પ દીપડા અને ૩ સિંહ ખૂલ્લા કૂવામાં ખાબક્યાં.


જૂનાગઢ, તા.૧૮
ગિરનાર અભયારણ્યમાંથી બહાર નિકળીને રેવન્યુ વિસ્તારમાં આવી જતા સિંહ-દીપડા ખૂલ્લા કૂવામાં પડી રહ્યા હોવાના બનાવમાં થઈ રહેલો વધારો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મળતી વિગતો અનુસાર ચાલુ વર્ષે ફક્ત ત્રણ માસમાં તંત્રની બેદરકારીથી પ દીપડા અને ૩ સિંહ ખૂલ્લા કૂવામાં ખાબક્યા હોવાના બનાવો બની ચૂક્યા છે.
  • ત્રણ માસમાં ઉપરા છાપરી બનેલી ઘટનાથી ચિંતાનું મોજુ
ગિરનારમાંથી બહાર નિકળેલી સિંહણ પારાપેટ વગરના ખૂલ્લા કૂવામાં ખાબકી હોવાના પ્રકાશમાં આવેલા ત્રીજા બનાવે વન્યપ્રેમી પ્રજાજનોમાં ચિંતાનું મોજુ પ્રસરાવી દીધું છે. ત્યારે મળતી વિગતો અનુસાર ચાલુ વર્ષે ત્રણ માસમાં આવી આઠ ઘટનાઓ બની ચૂકી છે.
ગિરનાર અભયારણ્યની દક્ષિણ રેન્જમાં ત્રણ દીપડા ખૂલ્લા કૂવામાં પડી ગયા હતાં. જેને બચાવી લેવાયા હતાં.
જ્યારે ઉત્તર રેન્જમાં બે દીપડા અને એક સિંહ, એક સિંહણ અને એક સિંહબાળ ખૂલ્લા કૂવામાં પડી ગયા હતાં. જેમાંથી એક સિંહ અને સિંહબાળના મોત નિપજ્યા હતાં. નસીબજોગે કૂવામાં પાણી ન હોવાથી સિંહણ બચી ગઈ છે. ગિરનાર અભયારણ્યની સાવ નજીકના રેવન્યુ વિસ્તારમાં આવેલા ખૂલ્લા કૂવામાં જ આ બધા પ્રાણીઓ પડી ગયા છે. ગિરનાર આસપાસ ૬૦૦ જેટલા આવા કૂવા ખૂલ્લા છે. જેના ફરતે પારાપેટ બનાવવાની કામગીરી સાવ મંદ ગતિમાં ચાલી રહી છે. ત્યારે સરકાર અને વનવિભાગ આ દિશામાં સત્વરે કાર્યવાહી ઝડપી બનાવે તેવી માગણી ઉઠી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=300157

No comments: