Thursday, June 23, 2011

ખેડુતો આ પ્રાણીથી એટલા પરેશાન થઈ ગયા કે...


Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:48 AM [IST](23/06/2011)
- રાજૂલા પંથકમાં રોઝડાઓનાં ત્રાસથી ખેડૂતો પરેશાન
- રોઝનાં ટોળા ખેતીપાકોને નુકશાન પહોંચાડી રહ્યા છે
રાજૂલા પંથકનાં અનેક ગામોમાં નિલગાય અને રોઝાડાઓનાં ત્રાસથી ખેડૂતો પરેશાન થઇ ઉઠ્યા છે. નિલગાય અને રોઝનાં ટોળેટોળા ખેતરોમાં ઘુસી પાકને નુકશાન પહોંચાડી રહ્યા છે. આથી તંત્ર વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
ઉટીયા, ખાંભલીયા, ડુંગર, છતડીયા, ભેરાઇ, વડ સહિતનાં ગામડાઓમાં રોઝડાઓનાં ટોળાઓ ખેતરોને ખૂંદી રહ્યા છે. ખેતરોની વાડ તોડીને રોઝડાઓ ખેતરમાં ઘુસી જાય છે. અને ઉભા પાકોનો નાશ કરી નાંખે છે. વાડી ખેતરોમાં મોંઘીદાટ દવાઓનાં છંટકાવ કરીને વાવેતર કરેલા પાકોને રોઝડાઓ ખૂંદી નાંખે છે. આથી ખેડૂતોને આર્થિક નુકશાન પણ પહોંચી રહ્યુ છે. જેથી ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે.આ ઉપરાંત રાત્રીનાં સમયે પણ રોઝાડાઓ રસ્તાઓ વચ્ચેથી પસાર થતા હોય નાના મોટા અકસ્માતો સર્જાય છે. હાલ રાજૂલા પંથકનાં ગામડાઓનાં ખેડૂતો રોઝનાં ત્રાસથી તોબા પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે કોઇ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.
સરકાર દ્વારા રોઝડાઓને મારવાની છુટ આપતો કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં સરપંચ અને વનવિભાગનાં કર્મચારીઓને સાથે રાખી રોજને મારવા જણાવાયુ છે. પરંતુ આવા કાયદાઓમાં ખેડૂતો પડવા માંગતા નથી. આ પ્રશ્નો ઉકેલ વનવિભાગ લાવે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-farmers-are-harassed-to-this-animal-in-rajula-2210242.html

No comments: