Thursday, June 9, 2011

પ્રાકૃતિક વિરાસતની જાળવણી કરવી લોકોની પણ ફરજ છે.


જૂનાગઢ, તા.૭
તાજેતરમાં વનવિભાગે ગિર અભયારણ્યમાં સમય મર્યાદા જતી રહ્યા બાદ પ્રવેશેલી જાનને અટકાવી હોવાના મુદ્દે જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબે આ પગલાને આવકારતા જણાવ્યું છે કે, પ્રકૃતિક વિરાસતની જાળવણી કરવી એ માત્ર વનવિભાગની જ નહી, લોકોની પણ ફરજ છે.
  • ગિરના બનાવ વિશે રૈવતગિરિ નેચર ક્લબનું નિવેદન
ગિર અભયારણ્યમાં જાન અટકાવી હોવાના મુદ્દે રજૂઆતો થયા બાદ આ અંગે જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબના પ્રમુખ ડી.આર.બાલધા અને આગેવાન અશોકભાઈ પુરોહિતે જણાવ્યું છે કે, ગિર અને ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર જનતા પોતાની મરજી મુજબ પ્રવેશી શકે નહી. અને વનવિભાગે આવી રીતે જ દરેક માટે કાયદાની કડક અમલવારી કરાવવી જોઈએ. વનવિભાગે વ્યાજબી રીતે પગલા લઈને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી છે. અને જંગલ તથા પર્યાવરણને નૂકશાન થતું અટકાવ્યું છે. માટે અંગત સ્વાર્થ માટે વનવિભાગની કાર્યવાહીને વખોડવી વ્યાજબી નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296865

No comments: