
Source: Bhaskar News, Dhari | Last Updated 12:58 PM [IST](09/06/2011)
- બનાવમાં ત્રણ પશુના મારણ
જાણવા મળતી પ્રાપ્ત વિગત અનુસાર, રાજગરીયાનેસમાં ગતરાત્રીના બે વાગ્યા આસપાસ માલધારીના રહેઠાણ વિસ્તારમાં ત્રીસ થી પાંત્રીસ ભેંસો બાંધેલી હોય જ્યાં ત્રણ સિંહો આવી ચડ્યા હતાં.અને લક્ષ્મણભાઇ લાખાભાઇ ભમરના ભેંસોના ચોકમાં એક પાડાનો શિકાર કરી સિંહોએ મીજબાની માણી હતી. ત્રણ સિંહો ભેંસોના ચોકમાં આવી ચડતા ભેંસોએ ત્રણ સિંહોનો પ્રતિકાર કર્યો હતો ભેંસો ભાંભરડા નાખતા માલધારીઓ જાગી ગયા હતા. માલધારીઓએ બનાવની જાણ વનવિભાગને કરતા બીટગાર્ડ સરવૈયા ઘટના સ્થળે દોડી ગયા હતા.
આમ, અવાર-નવાર સિંહો દ્વારા થતા પશુ મારણના બનાવથી માલધારીઓ રોષે ભરાયા હતા અને માલધારી સમાજના આગેવાન ભોજાભાઇ સહીડા, રાણાભાઇ ભમ્મર દ્વારા વનવિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત અન્ય એક બનાવમાં દલખાણીયા ગામે રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ ગામની મધ્યમાં આવેલ પાણીના અવેડા પાસે સિંહ અને સિંહણે એક રેઢીયાળ ગાયનું મારણ કર્યું હતું. આસપાસના લોકો સિંહોની ત્રાડ સાંભળી જાગી ગયા હતા અને સિંહ દર્શન કર્યા હતા.
No comments:
Post a Comment