Friday, June 24, 2011

વાછરડાને દીપડાના પંજામાંથી બચાવી ન શક્યા.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 1:26 AM [IST](24/06/2011)
ખાંભામાં અવારનવાર દીપડાઓના હૂમલાથી લોકોમાં ફફડાટ
ખાંભાના ભગવતીપરામાં આવેલ હોટલના કંમ્પાઉન્ડમાં આજે વહેલી સવારે દીપડાએ એક વાછરડાનું મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ખાંભા પંથકમાં સિંહો કરતા દિપડાઓનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. અવારનવાર દીપડો છેક ગામમાં આવી ચડે છે અને પશુઓનું મારણ કરે છે. 
આજે વહેલી સવારે ભગવતીપરા વિસ્તારમાં ખાંભા-ઊના હાઈવે રોડ પર આવેલ સત્યમ હોટલ નજીક દીપડાએ એક વાછરડાને ફાડી ખાદ્યો હતો. વાછરડાએ દીપડાથી પીછો છોડાવવા ઘણા પ્રયત્નો કર્યો હતાં. વાછરડો સત્યમ હોટલની બાજુમાં આવેલ પ્લોટમાં જતો રહ્યો હતો. પરંતુ ફરી દીપડાએ તેને પકડી ફાડી ખાદ્યો હતો.
સત્યમ હોટલ તેમજ પાર્થ હોટલ દિવસ રાત ખૂલ્લી રહે છે. ત્યાં સવારમાં ૪ વાગ્યે આ ઘટના બનતા ત્યાં બેઠેલા કેટલાક ગ્રાહકોએ દીપડાને ભગાડવા હકલા પડકારા કર્યા હતા. પરંતુ દીપડાએ વાછરડાને મૂક્યો ન હતો. આ ઘટના અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
ત્યારે લોકોએ તાત્કાલીક પાંજરા ગોઠવવા વનવિભાગને જાણ કરી હતી. પરંતુ આ સ્થળ પર હજુ પાંજરા મુકવામાં આવ્યા નથી. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ દીપડો કોઈ માણસ પર હુમલો ન કરે તે પહેલા ઝડપી લેવા લોકોએ વનવિભાગને જણાવ્યું હતું.

No comments: