Thursday, June 9, 2011

ધારીમાં એક જ દિવસમાં ચાર ગાયોના મોત.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:49 AM [IST](05/06/2011)
ધારી પંથકમાં આજે કેરી પકાવાવ માટે ઉપયોગમાં લેવાતા કાર્બન ખાવાથી ત્રણ ગાય અને એક બળદનું મોત થયુ હતુ. જ્યારે એક ગાયનું ઇલેકટ્રીક શોક લાગવાથી મોત થયુ હતુ.
કાર્બનથી કેરી પકાવતા વેપારીઓની ઘોર બેદરકારી ગાયોનો ભોગ લઇ રહી છે. વેપારીઓ દ્વારા કેરી પકાવવા માટે ઉપયોગમાં લેવાયેલા કાર્બનની પડીકીઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય રઝળતી ગાયો આ પડીકીઓ ખાઇ મોતને ભેટી રહી છે.ધારી પંથકમાં આજે આ રીતે ત્રણ ગાય અને એક ખુટીયાનો ભોગ લેવાયો હતો. ધારીમાં એક ગાય તથા એક ખુંટીયાએ રસ્તા પર ફેંકી દેવાયેલી કાર્બનની પડીકીઓ ખાધા બાદ ભારે પીડા સાથે તરફડીને જીવ દીધો હતો. જેને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટીની લાગણી ફરી વળી હતી.
આવી જ રીતે સરસીયામાં પણ કાર્બનની પડીકીઓ ખાવાથી બે ગાયોનું મોત થયુ હતુ. ગામલોકોમાં બેદરકારીથી કાર્બન ફેંકનાર વેપારી સામે રોષની લાગણી ફરી વળી હતી. અન્ય એક ઘટનામાં ધારી શહેરમાં મુખ્ય બજારમાં પીજીવીસીએલના થાંભલાને અડતા વીજ શોક લાગવાથી એક ગાયનું મોત થયુ હતુ. આમ એક જ દિવસમાં ૪ ગાય અને ૧ ખુંટીયાના મોતની ઘટના બની હતી. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.

No comments: